________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯ ૪ પારસમણિ
મનને તૈયાર કરવામાં માનવીની મહત્તા છે. ભગવાન મહાવીર મહાભયંકર વનમાં આવીને તીવ્ર સાધના શરૂ કરે છે. જીવનમાં મળેલ સદ્ગુણોની કસોટી માણ કરવાની છે. ભગવાન પોતાની આત્મકસોટી કરે છે, ત્યાં પણ કોધી સર્પ આવે છે. તે વિષ ભરેલ આંખ પ્રભુ સન્મુખ માંડે છે. તે વિષદષ્ટિ છે. ભગવાન મહાવીર તેના (સર્પના) જીવનનાં ઝેર ઉતારી નાખે છે :
જીવનનું ઝેર ઉતારવું અતિ દુષ્કર છે.
ભગવાનમાં પરમ પ્રકાશ હતો, પરમ તેજમય તત્ત્વ હતું, તેમને કોઇની કંઈ જ અસર થતી નથી. ભગવાનનાં ચરણ ઉપર ઝેરી ડંશ મારીને સર્પ દૂર ખસી જાય છે, પણ ભગવાનની કાયા તો પ્રસન્નતાથી હસતી જ હોય છે. સપના અજ્ઞાન ઉપર ભગવાન કરુણું વહાવે છે. ભગવાનના ચરણમાંથી લેહીને બદલે દૂધની ધારા વહે છે. તેથી તેને ખૂબ જ નવાઈ લાગે છે. જેમ માતાને બાળક પ્રત્યેનો પ્રેમ લેહમાંથી દૂધ બનાવે છે, તે ભગવાન
For Private And Personal Use Only