________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Fe
જીવન વિકાસનાં વીસ સોપાન
સિપાઈઓ થોડા ખિજાયા જરા ઠંડો દુકાનદારને અડાડ્યો પણ ખરો, છતાં આગળ ચાલતા થયા. દુકાનદારને હાશ થઈ. પોતાના સ્વાર્થની રક્ષા માટે બુદ્ધિનો ઉપયોગ તેણે આ પ્રકારે કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે વ્યક્તિ પરમાર્થરૂપ સ્વાર્થ સિદ્ધ કરવા માંગે છે તેણે પોતાની દૃષ્ટિ સૌ પ્રથમ નિર્મળ કરવી જોઈએ. આ સ્વાર્થ એટલે આત્માર્થ. તે પોતાના દોષ જોશે અને અન્યનાં ગુણો જોશે.
શ્રીકૃષ્ણના જીવનનો એક પ્રસંગ છે. એકવાર શ્રીકૃષ્ણ ની સવારી દ્વારકા નગરીના એક માર્ગ પર પાંડવોની સાથે જતી હતી. તે માર્ગ પર એક મૃત કૂતરાનું શબ પડ્યું હતું. તેના પર જીવાત ઊડી રહી હતી. ભયંકર દુર્ગંધ ફેલાતી હતી. પાંડવો નાક પર રૂમાલ ઢાંકીને આગળ વધી ગયા, પરંતુ શ્રીકૃષ્ણ તો તે શબ પાસે થોડી ક્ષણ ઊભા રહ્યા, અને પ્રસન્ન થઈને
આગળ વધ્યા
પાંડવોએ પ્રસન્નતાનું કારણ પૂછ્યું તો કહે કે ‘‘હું તો કૂતરાના મુખની દંતપંક્તિ જોઈ રહ્યો હતો. તે કેવા ઉજ્વલ મોતીના ઘણા જેવી હતી ? દુર્ગંધ પ્રત્યે તો મારો ખ્યાલ પણ ગયો નથી.
દુનિયામાં આપણને જે કોઈ પદાર્થ દેખાય કે આપણે તેના સંયોગમાં આવીએ ત્યારે તેમાં અનુકૂળતાથી પ્રસન્ન થવું તે કેવળ બુદ્ધિપૂર્વકનું કાર્ય છે અને પ્રતિકૂળતાથી દુઃખી થવું તે કેવળ મૂર્ખતા છે.
નિર્મળ ને વિમળ બંને સહોદર બંધુ હતા. તેઓ કોઈ બગીચામાં ફરતા હતા. થોડીવાર પછી નિર્મળ આંખમાં આંસુ સારતો ઘેર પહોંચ્યો તેની માએ પૂછ્યું ‘બેટા તને પગમાં કાંટો વાગ્યો છે ? શું થયું છે ?''
નિર્મળ - ‘નહિ મા''
મા—તો પછી શા માટે રડે છે ?
નિર્મળ - મા, બગીચો તદ્દન ખરાબ છે. ત્યાં હું ગુલાબના છોડ પાસે ગયો ત્યારે સુંદર ખીલેલા ગુલાબના પુષ્યોની નીચે એટલા બધા તીક્ષ્ણ કાંટા ઓ હતા કે તે જોઈને મને રડવું આવ્યું.
થોડીવાર પછી વિમલ એ જ બગીચામાંથી હસતે મુખે ઘેર આવ્યો માએ તેના હસવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું ‘મા બગીચો ખૂબ સુંદર છે. ત્યાં મેં જોયું કે તીક્ષ્ણ કાંટાઓની વચમાં પણ ગુલાબ હસી રહ્યા હતા. તેથી હું પણ પ્રસન્ન થઈ ગયો. માને નિર્મળે જે વાત સમજાવવી હતી તે વિમલે સમજાવી.
માએ બંને બાળકોને પ્યારથી સમજાવ્યું કે આપણું દૈષ્ટિબિંદુ વિમલની
For Private And Personal Use Only