________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
પીરસ્યું, પ્રથમ પંડિતની થાળીમાં ઘાસ અને બીજા પંડિતની થાળીમાં ભૂસુ
પીરસ્યું.
શેઠજીએ જમવાની વિનંતી કરી કે પંડિતજી ભોજન કરો.
બંને પંડિતો ક્રોધથી આકૂળ થઈને પૂછવા લાગ્યા કે શું આવું અપમાન કરવા અમને ભોજનનું આમંત્રણ આપ્યું છે ?
શેઠજી - મેં તો આપને સુંદર ભોજન માટે જ આમંત્રણ આપ્યું હતું પણ આપે મને તમારો પરસ્પર પરિચય આપ્યો તે પ્રમાણે ભોજનના પદાર્થો પીરસવામાં આવ્યા છે.
પંડિતો – કેવો પરિચય આપ્યો છે.
શેઠજી - અરે ! એટલીવારમાં ભૂલી ગયા? પ્રથમ પંડિત સ્નાન કરવા ગયા ત્યારે તમે કહ્યું કે તે તો ગધો છે, અને પ્રથમ પંડિતને કૂવા પર મળ્યો ત્યારે તેમણે કહ્યું તમે બળદ છો. તેથી તે પ્રમાણે ભોજન પીરસ્વામાં આવ્યું છે. આ વાત સાંભળી બંને પંડિત નીચું જોઈને ચાલતા થયા.
પંડિતો એકબીજાને જોઈને કૂતરાની જેમ ભસવા માંડે છે તેનું કારણ ઈર્ષા છે. આવા એક દુર્ગણવશ તે પંડિતોને લજ્જિત, અપમાનિત તથા સુધિત રહેવું પડ્યું. ઈર્ષાળુઓની આવી દયનીયદશા જોઈને તે વૃત્તિને નિર્મૂળ કરવાનો દઢ સંકલ્પ કરવો અત્યંતાવશ્યક નથી લાગતું?
હેમૂ શ્રાવકનું દૃષ્ટાંત - બાદશાહે હેમૂ શ્રાવકની કુશળતા જોઈ તેને નાણામંત્રીનું પદ પ્રદાન કર્યું હતું. બાદશાહ હિસાબમાં અંશ માત્ર ભૂલ જેતા તો તેની સજારૂપે હિસાબનું તે પાનું ખાવાનો આદેશ આપતા આથી કોઈ નાણામંત્રી તરીકે રહેવા તૈયાર થતું નહિ. હેમૂ આ વાત જાણતા હતા તેથી ખૂબ સાવધાની થી હિસાબ રાખતા હતા. એક દિવસ કોઈ કારણસર તેમને બહાર જવાનું થયું. તેથી તેઓ પોતાના સચિવને હિસાબ બતાવવાનું કામ સોંપીને ગયા. હિસાબમાં કંઈ પણ ભૂલની સંભાવનાથી ભયભીત સચિવને એક ઉપાય તેઓ બતાવી ગયા હતા.
બીજા દિવસે સચિવ હિસાબ બતાવવા ગયા તેમાં એક ભૂલ પકડાઈ ગઈ. બાદશાહે હિસાબનો કાગળ ખાઈ જવાનો આદેશ આપ્યો. સચિવ તો જાણે મિઠાઈ ખાતા હોય તેમ કાગળ ખાઈ ગયા, આથી બાદશાહને આશ્ચર્ય થયું.
બાદશાહે પૂછ્યું અરે ! આટલી સહેલાઈથી તમે કાગળ ખાઈ શકો છો ?
સચિવ – હેમૂજી એ મને સલાહ આપી હતી કે તમારે કાગળના માપ
For Private And Personal Use Only