________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
જીવન વિકાસનાં વીસ સોપાન
એક કહેવત છે કે ‘દેવાવાળો આપે અને ભંડારી પેટ ફૂટે' કેમ ભાઈ ! તારું શું ઓછું થાય છે ? તને શા માટે પેટ દુઃખે ? પણ ઈર્ષાળુની ટેવ જ એવી હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી એક કહેવત છે કે પરાયાના દુઃખે થોડો દુર્બળ પણ પરાયાના સુખમાં વધુ દુર્બળ.
નૌતિકારોએ સૃષ્ટિમાં છ પ્રકારની દુઃખી વ્યક્તિને જોઈ છે તેમાં ઈર્ષાળુનું સ્થાન મોખરે છે.
इर्ष्या घृणीत्वसन्तुष्टः
क्रोधनो नित्यङ्कितः ।
परभाग्योपझीवीतीच
હેતે ટુઃસાશિનઃ ॥ મહાભારતમ્
ઈર્ષાળુ, ઘૃણાયુક્ત અસંતુષ્ટ ક્રોધી, શંકાશીલ અને પરાવલંબી એ છ વ્યક્તિ દુ:ખ ભોગવે છે.
એક શેઠને ઘેર એક દિવસ બે પંડિતો આવ્યા, તે બંનેને પોતાના પાંડિત્ય ઉપર ગર્વ હતો. તેઓની પરસ્પર ચર્ચા - વિવાદ સાંભળીને શેઠ પ્રભાવિત થયા. બંને પંડિત એક બીજાના મતનું ખંડન કરી પોતાના મતનું પ્રતિપાદન કરતા હતા. ત્યાં ભોજનનો સમય થતાં શેઠજીએ બંનેને સ્નાનાદિથી નિવૃત્ત થઈ ભોજન માટે વિનંતી કરી.
એક પંડિત સ્નાન માટે કૂવા પર ગયા, તે વખતે બીજા પંડિતે શેઠને ઉદ્દેશીને કહ્યું કે સ્નાન કરવાથી શું લાભ થાય ? માછલીઓ ચોવીસ ક્લાક જળમાં રહે છે તેથી શું તે પવિત્ર બને છે ? જળથી આત્માની શુદ્ધિ માનવવાળો પંડિત નથી ગધો છે.
આ વાત સાંભળીને શેઠજી કૂવા પર ગયા ને તેમણે પ્રથમ પંડિતને કહ્યું કે ઘર પર રહેલા બીજા પંડિત કહે છે કે જળથી આત્મશુદ્ધિ થતી હોય તો માછલી પવિત્ર થઈ જાય. તેના જવાબમાં તમારે શું કહેવાનું છે ?
પ્રથમ પંડિત આ શબ્દ શ્રવણ થતાંની સાથે જ ઈર્ષાથી જળી ઊઠ્યા. તેમણે કહ્યું એ પંડિત બળદ છે. કારણ કે બળદ સ્નાન કરતો નથી. સ્નાનનું મહત્ત્વ મનુષ્ય સમજે છે, બળદ સમજતો નથી.
શેઠજીએ ઘરમાં આવીને રસોડામાં જઈ પોતાની પુત્રીને કાનમાં કંઈ વાત સમજાવી. ત્યાર પછી ત્રણે માટે જમવાની તૈયારી કરી પુત્રીએ શેઠજીને જાણ કરી. ત્રણે જમાવા બેઠા પછી તે કન્યાએ શેઠજીની થાળીમાં ભોજન
For Private And Personal Use Only