________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇર્ષ્યા
૫૩
ખેંચી તેને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે. તે ઘણો અસહિષ્ણુ હોય છે. તે પોતાનાથી નાના હોય તેની સાથે રહી શકશે. કારણકે તે હંમેશાં લઘુતાગ્રંથીથી પીડા પામતો હોય છે, તેથી તે જેની ઈર્ષા કરે છે તેને પોતાનાથી મોટો માની મનમાં બળ્યા કરે છે ઈર્ષા એવો રોગ છે કે તેનો અંત નથી અને ઉપાય પણ નથી.
य ईर्ष्याः परवित्तेषुः रूपे वीर्ये कुलान्चये
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुख सोभाग्य सत्कारे
તસ્ય વ્યાધિરનન્તઃ ॥ વિદુરનીતિ.
જે વ્યક્તિ અન્યના ધન, રૂપ, શક્તિ, વંશ. સુખ, સૌભાગ્ય અને સત્કારની ઈર્ષા કરે છે તેનો આ રોગ અસાધ્ય છે.
લક્ષ્મીની ભગિની દરિદ્રતા છે ઈર્ષાળુ મનુષ્ય પ્રાયઃ દરિદ્રી હોય છે. કારણ કે ‘“લક્ષ્મી ઈર્ષાળુની પાસે રહેતી નથી તે ઈર્ષાળુને પોતાની બહેન દરિદ્રતાને હવાલે કરી દે છે. જો કે રિદ્રતા કોઈ ઇચ્છતું નથી, પરંતુ તેની પેદાશ ઈર્ષામાંથી થાય છે જો ઈર્ષા છૂટે તો દરિદ્રતા છૂટે.
ઈર્ષા એક ટેવ થઈ ગઈ છે. સમાજમાં કોઈ વ્યક્તિને પુરસ્કાર મળે તો કેમ જાણે તેને પાત્ર પોતે છે તેમ માની મોટા ભાગના લોકો તેની ઈર્ષા કરશે, જો વ્યાપારી અધિક કમાણી કરે તો પડોશી વ્યાપારીને અંતરદાહ ઉપડશે. જો દેરાણીના દાગીના ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો જેઠાણી રડશે ખરી પણ જે ચોરાઈ ગયું કે ખોવાઈ ગયું તેને માટે નહિ, પણ દેરાણીના સર્વ દાગીના ચોરાઈ જવાને બદલે થોડાં બચ્યાં હતાં તે માટે. જોયું ઈર્ષાની કેવી ભયંકર લીલા છે.
એક વ્યક્તિ ગુલાબના ફૂલોને ખલમાં ઘસી રહી હતી. ત્યાંથી પસાર થતાં એક દાર્શનિકે પૂછ્યું કે ભાઈ ! આ ફૂલોને કેવા અપરાધની સજા કરી રહ્યો છું ?
ત્યાં એક ગુલાબે જવાબ આપ્યો કે દુનિયા ઘણી ઈર્ષાળુ છે તે કોઈનું ખીલવું કે હસવું જોઈ શકતી નથી, તેથી અમને કચડી નાંખવામાં આવે છે, છતાં અમે તો પહેલા પણ જ્યારે જીવંત હતા ત્યારે લોકોને સુગંધ આપતા હતા, આજે અમને ઘસી નાંખવાવાળાને અમે સુગંધ આપીએ છીએ એટલું જ નહિ પણ અમારું અસ્તિત્વ મિટાવી જ્યારે અમારા રસનું અત્તર બનાવવામાં આવશે ત્યારે પણ અમે તો સુગંધ આપશું કારણ કે અહીં ઈર્ષા નથી કેવળ સુવાસ છે.
For Private And Personal Use Only