________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચરણ
૪૫
છે. આચરણ સદાચારી સજ્જનો!
જૈનધર્મમાં આચારનું સવિશેષ મહાભ્ય છે પિસ્તાળીસ જૈનાગમોમાં એક આગમ “આચારાંગ” સૂત્ર છે.
__ ज्ञान क्रियायां मोक्ष : (જ્ઞાન સાથેની ક્રિયાથી મુક્તિ પ્રાપ્ત થાય છે) શ્રી જિને આ સૂત્રનું નિરુપણ કરીને આચરણને જ્ઞાનથી અધિક મહત્ત્વપૂર્ણ ભાખ્યું છે. સંસારમાં દુરાચારી વિદ્વાન કરતાં સદાચારી અવિદ્વાન પ્રતિષ્ઠા પામે છે.
દુરાચારથી આત્મા કલુષિત થાય છે. સદાચાર – શુદ્ધાચરણથી આત્મા પવિત્ર બને છે. એથી મહર્ષિઓએ કહ્યું છે કે :
आचारः प्रथमो धर्म : અધ્યાત્મજીવનમાં જ્ઞાનની પ્રથમ આવશ્યકતા છે તે નિઃસંદેહ છે. છતાં ધાર્મિકતાનો પ્રારંભ પ્રથમ આચારથી થાય છે. દુરાચાર આત્માનું શોષણ કરે છે, સદાચાર આત્માના વિકાસને પોષણ આપે છે.
એક ચિંતકે કહ્યું છે કે ધન ગયું તો ખાસ ગુમાવ્યું નથી. સ્વાથ્ય ગયું તો કંઈક ગુમાવ્યું છે. પણ સદાચાર ગયો તો સર્વનાશ છે.
જેનું ધન નષ્ટ થયું તેનું કંઈ ગયું નથી પણ જેનો આચારભંગ થયો તેનું તો મરણ થયું માનો.
આચરણની શુદ્ધિ માટે સાધકે ઘણી વસ્તુઓની મમતાનો ત્યાગ કરવો પડે છે. સહન કરવું પડે છે. કષ્ટ વિના ઈષ્ટ નહિ, સંસારમાં ધનાભિલાષી માનવો ધનના અલ્પ સમયના સુખ માટે કષ્ટ સહન કરે છે. તો પછી જેના દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે તેવા સદાચાર માટે સાધકે કષ્ટ સહીને પણ સહર્ષ તત્પર રહેવું જોઈએ. મેદાને પડવું પડે છે, તેમાં કેટલું સહન કરવું પડે છે. (રાજકારણમાં રાજ્યસભા કે સંસદનું સભ્યપદ મેળવવા પસીનો પાડવો પડે છે. તથા ધનનો વ્યય કરવો પડે છે. તો પછી શ્રેષ્ઠ પદની, પરમપદની પ્રાપ્તિ માટે ક્રોધ, માન, માયા, લોભ જેવા શત્રુઓ સામે યુદ્ધ કરવું પડે, તપશ્ચર્યા કરવી પડે, પરોપકાર જેવા સત્કર્મ માટે ધનનો ત્યાગ કરવો આવશ્યક છે.
તંબૂરાને ચાર તાર હોય છે, તેમાં ક્રમશ ૫,સા, સા,સા, ધ્વનિ નીકળે ત્યારે ગાયકને શુદ્ધ સ્વરનો આધાર મળે છે. તે પ્રમાણે જીવન સંગીતમાં
For Private And Personal Use Only