SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અહિંસા www.kobatirth.org सारङ्गी सिंहशवं स्पृशति सुतधिया नन्दिनी व्याघयोतम् मार्जारी हंसबालं प्रणयपरिव शात् केकि कांता भुजङ्गम् । वैराण्या जन्म जातान्यपि गलितमदा जन्त वाडन्ये त्यजन्ति श्रित्वा साम्यैकरूढं प्रशमितकलुषम् योगिनं क्षीणमोहम् Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ ज्ञानार्णव કષાયોથી અકલુષિત સમભાવી નિર્મોહ યોગીનો આશ્રય પામીને હરિણી સિંહણનાં બચ્ચાંને ગાય, વાઘનાં બચ્ચાંને, બિલ્લી હંસનાં બચ્ચાંને, ઢેલ સર્પનાં બચ્ચાંને જેમ માતા પોતાના બાળકને વહાલ કરે છે તે પ્રકારે તે સર્વને વહાલથી સ્પર્શે છે. અન્ય પ્રાણીઓ પણ પોતાનું જન્મજાત વે૨ ભૂલી જાય છે. આફ્રિકામાં એકવાર ગાંધીજી પ્રવચન પૂર્ણ કરીને પોતાના નિવાસ તરફ જઈ રહ્યા હતા. તે સમેય એક વિરોધી વ્યક્તિ હાથમાં ધારદાર છરો લઈને તેમની પાછળ આવતી હતી. ગાંધીજીએ તે માણસને જોયો અને કહ્યું કે ભાઈ ! તું મારી રક્ષા કરવા માટે મારી પાછળ છરો લઈને કેમ આવે છે ? સ્વયં ભગવતી અહિંસા મારું રક્ષણ કરે છે. તારે તે માટે કષ્ટ લેવાની જરૂર નથી. ગંધીજીના આવા પ્રેમાળ વચનો સાંભળી પેલો યુવાન તેમના ચરણમાં ઝૂકી પડ્યો. તેણે કહ્યું. અન્ય વિરોધીઓના કહેવાથી હું તો તમારી હત્યા કરવા આવ્યો હતો. પરંતુ આપનું પ્રેમમય સંબોધન સાંભળી હું હાથ ઉઠાવી ન શક્યો. મને માફ કરો. આ છે અહિંસાની સાધનાનો ચમત્કાર. વાસ્તવમાં સત્ય, શીલ, વ્રત એ સર્વે સત્ત્વો અહિંસા દ્વારા પ્રગટ થાય છે. ધર્મશાસ્ત્રોમાં જેટલાં સત્યશીલ યમ, નિયમ, વ્રત આરાધના આદિ વિધાન સુપ્રાપ્ય છે તે સઘળાંનું મૂળ અહિંસા છે. For Private And Personal Use Only સર્વ જિનેશ્વર ભગવંતોએ મુખ્યત્વે પ્રાણાતિપાત વિરમણ વ્રતનું (હિંસાથી પાછા વળો) નિરુપણ કર્યું છે. બાકીનાં સર્વ વ્રતો અહિંસાની વૃદ્ધિ અને રક્ષા માટે છે.
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy