SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અહિંસા ૩૭ ક્રોધ કોઈ નિમિત્તથી આવે છે, પણ ક્રોધી સ્વભાવ વાળાને તો નિમિત્ત ન મળે છતાં ક્રોધ આવે છે. અને સમતાવાન સંત એકનાથને ક્રોધનું નિમિત્ત મળવા છતાં પણ ક્રોધ ન આવ્યો. જો કે એવા સાચા સંત વિરલ જ હોય છે. नाकारणरूषां संख्या, संख्याता कारण बुधः । कारणेऽपि क्रुष्यन्ति, ये ते जगति पञ्चषा ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અકારણ ક્રોધ થાય તેવા જીવોની સંખ્યા અપાર છે. કારણ મળતાં ક્રોધ થઈ જાય છે તેવી સંખ્યા સંખ્યાત છે. પરંતુ કારણ મળવા છતાં ક્રોધ ન થાય તેવા જીવોની સંખ્યા સંસારમાં આંગળીના વેઢે ગણાય તેવી અતિ અલ્પ હોય છે. ૬. અહિંસા અહો ! અહિંસા પ્રેમીઓ ! ધર્મનુ પૂર્ણ રહસ્ય જો ત્રણ અક્ષરોમાં સમાવવું હોય તો તે અક્ષરો ‘અહિંસા' છે. દરેક ધર્મોમાં તેની પ્રધાન છે. જૈનધર્મમાં તેને ‘ભગવતી' કહેવાય છે. આ એવી અહિંસા છે કે જે ભયભીત પ્રાણીઓને શરણ આપે છે. પક્ષીઓને ગતિ મળવી, તૃષાતુરને જળ મળવું, ભૂખ્યાને ભોજન આપવું, સમદ્રની વચમાં જહાજને સારો મળવો, પશુઓને આશ્રય સ્થાન મળવું, રોગીષ્ટને ઔષધિથી બળ મળવું, અને જંગલમાં ભૂલા પડેલા પથિકને સાથ મળવો એ સર્વ કરતાં પણ હાલતાં-ચાલતાં અને સ્થિર એવાં સર્વ પ્રાણીઓને કલ્યાણદાયી તો અહિંસા છે. વિશેષ શું કહેવું ? अहिंसा परमोधर्मः ॥ ( महाभारतम् ) परमं धर्म श्रुतिविदित अहिंसा (रामचरित मानस ) मा हिंसात् सर्व भूतानि ॥ ( यजुर्वेद ) Thou Shall not kill (વાવૃત્ત) મુસ્લિમ ધર્મમાં તીર્થયાત્રા કરવાવાળાને પણ આદેશ આપવામાં આવ્યો છે કે જે દિવસે તીર્થયાત્રા કરવાનો સંકલ્પ જાગે તે દિવસથી તીર્થયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી જીવહિંસા કરવી નહિ. અરે ! વાળમાં જૂ કરડે તો પણ તેને મારવી નહિ. તેને ફક્ત દૂર કરો. For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy