________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
અક્રોધ (ક્ષમા-શાંતિ)
જન્મે છે. જેમ કે પોતાની પત્નીને અન્ય સાથે એકાંતમાં વાતચીત કરતાં જોઈને શંકાને કારણે ક્રોધ જન્મે છે. વિચારભેદ - રચિ ભેદ - આજના બુદ્ધિવાદી યુગમાં કોઈનું બળવાન નિમિત્ત વિચાર કે રુચિભેદ છે. પિતા-પુત્ર, સાસુ-વહુ ભાઈ-ભાઈ, માતા-પુત્રી વચ્ચે વિચારભેદ કે રુચિભેદને કારણે પરસ્પર ભયંકર સંઘર્ષ જન્મે છે અને તેમાંથી ક્રોધ જન્મે છે. જો કે ક્રોધની માત્રામાં તરતમતા હોય છે.
उत्तमस्य क्षणं कोपम् मध्यस्थ प्रहरद्वयम् अधमस्य त्वहोरात्रम्
नीचास्यामरणं स्मृतम् જે ક્રોધી છે તે વિચારવાન નથી. વિચારવાન ક્રોધને વશ થતો નથી. મહાત્મા કયુશ્યસે વિચાર પર મહત્ત્વ આપીને કહ્યું છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે ક્રોધ પર જ વિચાર કરો તો ક્રોધ સ્વયં શાંત થઈ જશે.
હજરત મહંમદ પયગંબરે પણ કહ્યું છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે ઊભા ન રહેવું બેસી જવું અને જો અતિ માત્રામાં ક્રોધ આવે તો સૂઈ જવું ક્રોધનો એક ઉપાય તેને મુલત્વી રાખવો. સ્વયં શાંત થઈ જશે અથવા મનને સદ્વિચાર કે મંત્ર આદિમાં જોડી રાખવું.
મહાત્મા ઈસાએ બાઈબલમાં લખ્યું છે કે, ક્રોધમાં વિલંબ કરવો વિવેક છે, શીવ્રતા કરવી મૂર્ખાઈ છે.
ભોજન સમયે ક્રોધ કરવાથી અન્ન પાચન થતું નથી. માટે ભોજન શાંતચિત્તે કરવું. માતાએ બાળકને સ્તનપાન કરાવતાં ક્રોધ ન કરવો. ક્રોધ કરવાથી દૂધ વિષમય બની જાય છે. અને તેથી બાળકનો સંસ્કાર ક્રોધરૂપે પરિણમે છે.
એક વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હતો. અતિ ક્રોધાવેશમાં આવેલા મનુષ્યનું રક્ત દેડકાને આપવામાં આવ્યું તો તે તરત જ મૃત્યુ પામ્યો. આવા દેષ્ટાંતોથી નિર્ણય થાય છે કે દૂધ તથા રક્તમાં ક્રોધને કારણે વિષ ઉત્પન્ન થાય છે. માટે ક્રોધથી દૂર રહેવા પ્રયત્ન કરવો ભલભલા પંડિત પણ ક્રોધને વશ જ્ઞાનનો નાશ કરે છે.
એક પંડિત સ્નાન કરીને પોતાના નિવાસે જઈ રહ્યા હતા, માર્ગમાં કોઈ હરિજન સફાઈ કરતો હતો, પંડિતજીને તેના શરીરનો સ્પર્શ થઈ ગયો, તેઓ સહસા ગર્જી ઊઠ્યા ““બેવકૂફ, અન્ધા, ગમાર તું જતો નથી, હું કોણ
For Private And Personal Use Only