________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જીવન વિકાસનાં વીસ સોપાન હોતા નથી તેથી તેમને નિમિત્ત મળવા છતાં પણ ક્રોધ થતો નથી. તેથી સમજાય છે કે ક્રોધ જીવનો સ્વભાવ નથી, પણ કુસંસ્કારની પરાધીનતાવશ જીવ તેવી દશામાં મુકાય છે. એક કવિએ ક્રોધત્યાગની પ્રેરણા આપતાં કહ્યું છે કે :
अपकारिषु कोपश्चेत
कोपे कोपः कथं न ते ? જે તું અપકારી જના ઉપર ક્રોધ કરવા ઇચ્છતો હોય તો પ્રથમ અપકારી તો તારો અંતરંગ સત્ર ક્રોધ જ છે તો પછી શા માટે તેના પર ક્રોધ કરતો નથી? તેમ કરવાથી જ તે શત્રુ નો નાશ થાશે. સ્થાનાંગ સૂત્રમાં ક્રોધની ઉત્પત્તિનું કારણ જણાવ્યું છે.
चउहिं ठाणणिं कोहप्पति सिया तेहा खेत्तं पुडुच्च, वत्युं पडुच्च
સરી પડુ, વદિ પહુચે ચાર કારણથી ક્રોધની ઉત્પત્તિ થાય છે. ૧. ક્ષેત્ર - જમીન નગર આદિ, એ મારાં છે અને મારાં રહેવા
જોઈએ તેમાં ક્ષતિ પહોંચે તો વ્યક્તિને ક્રોધ આવે છે. ૨. વાસ્તુ - ઘર, મકાન, દુકાનમાં ક્ષેત્રની જેમ મમત્વ અને
અહમૃત્વને કારણે ક્રોધ થાય છે. ૩. શરીર - શરીરની સુખાકારી, ઈદ્રિયોને ઇચ્છિત વસ્તુઓ મળવી
જોઈએ. જો તેમ ન થાય તો જીવને ક્રોધ આવે છે. ૪. ઉપાધિ - ઉપકરણ, ઉપયોગી વસ્તુઓ અશુભયોગે આવશ્યક
વસ્તુઓ ન મળે તો જીવને ક્રોધ આવે છે. પરલક્ષી ઉપયોગ સર્વ પ્રકાર ના ક્રોધનું મૂળ છે.
અન્યત્ર ક્રોધના પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ૧. દુર્વચન - કોઈ દ્વારા કઠોર વચનના શ્રવણથી ક્રોધ આવે છે. ૨. સ્વાર્થમાં અંતરાય - પોતાનો સ્વાર્થ ન સધાય તો ક્રોધ આવે
છે. ૩. અનુચિત વ્યવહાર - અન્ય દ્વારા અપમાનિત થતાં અહંમ ઘવાય
છે તેથી ક્રોધ આવે છે. ૪. ભમ - કલ્પિત માન્યતામાંથી ક્રોધ જન્મે છે, શંકા વહેમથી ક્રોધ
For Private And Personal Use Only