________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
અભિમાન વિશિષ્ટ બુદ્ધિમત્તા ને કારણે ગુરુદેવ પાસે ક્રમશઃ જૈનશાસ્ત્રોનો અભ્યાસ અતિ શીઘ્રતાથી કર્યો. તેમની સુયોગ્યતા જોઈ ગુરુદેવે તેમને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કર્યા. તે હરિભદ્રસૂરિના નામે વિખ્યાત છે, તેમણે એક હજાર ચારસો ચુમ્માલીસ ગ્રંથોની રચના કરી છે. આવશ્યક નિર્યુક્તિની સંસ્કૃત ટીકા લખતાં તેમણે ભાવવિભોર થઈને “ચકિદુર્ગ હરિપણગ” ગયા નો વિસ્તારથી અર્થ લખ્યો હતો. કારણ કે આ ગાથાએ તેમના જીવનનું આમૂલ પરિવર્તન કર્યું હતું. વળી આ ગાથા યાકિની મહત્તરા પાસેથી સાંભળી હતી તેથી તેઓ સાધ્વીને માતાતુલ્ય પૂજ્ય માનતા હતા. અને પોતે તેમનો પુત્ર છે તેમ માનતા હતા. ગ્રંથલેખનના અંતમાં પોતાના નામની પહેલાં તેઓ “યાકિનીમહત્તરાર્ન હરિભદ્રસૂરિ' લખીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હતા આ દૃષ્ટાંત સૂચવે છે કે અહંકાર પણ શુભયોગનું કારણ ક્વચિત્ બને છે. તે સિવાય તો :
विद्या ददाति विनयम् विनयाद् याति पात्रताम् :
जे भवन्ति नमास्तरवः फलोद्गमैः જેમ જેમ ફળ પાકે છે તેમ તેમ વૃક્ષ નમે છે, તે પ્રકારે વિનયવાન સજ્જન જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ થતાં નમ્રતા ધારણ કરે છે.
લંકામાં રાવણ સાથેનું યુદ્ધ સમાપ્ત થતાં શ્રીરામે લક્ષ્મણને રાવણની પાસે રાજનીતિનું શિક્ષણ લેવા મોકલ્યો. રાવણ તે સમયે રણક્ષેત્રમાં ઘવાયેલી હાલતમાં મૃત્યુશધ્યા પર પડ્યો હતો. લક્ષ્મણ ત્યાં જઈને બોલ્યા હું રામની આજ્ઞાથી તમારી પાસે રાજનીતિની શિક્ષા લેવા આવ્યો છું. મને તે શીખવો'
રાવણ - “હું અપાત્રને શિક્ષણ આપતો નથી.'
આ સાંભળી દુભાયેલા લક્ષ્મણ પાછા ફર્યા. અને રામને એ હકીકત જણાવી અને પૂછ્યું તમે મને રાવણ પાસે શિક્ષણ લેવા મોકલ્યો હતો કે અપમાનિત થવા મોકલ્યો હતો?
રામ - કેમ ? રાવણે શું કહ્યું? લક્ષ્મણ – તેણે મને કહ્યું કે “હું અપાત્રને શિક્ષણ આપતો નથી, રામ - તું ત્યાં ક્યાં બેઠો હતો?
લક્ષમણ - હું ઘાયલ રાવણના માથાની પાસે જઈને ઊભો જથી તેમના મુખમાંથી નીકળેલા શબ્દોનું સારી રીતે શ્રવણ કરી શકું.
રામ - આવા વ્યવહારથી તું અપાત્ર ઠર્યો. શિક્ષાર્થીમાં વિનય હોવો
For Private And Personal Use Only