________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિમાન
૪. અભિમાન વિનીત મહાનુભાવો!
જીવનનો મહાશત્રુ અભિમાન છે, મોક્ષમાર્ગને અનુસરતો વિનય મહાન ગુણ અભિમાનના દુર્ગણ દ્વારા નષ્ટ થાય છે.
माणो विणयनासणो
માન વિનયગુણનો નાશ કરે છે. અહંકાર નષ્ટ કરવા માટે જૈનધર્મમાં નમસ્કાર મહામંત્રનો અત્યંત મહિમા જણાવ્યો છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે.
_ नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુઓને નમસ્કાર હો.
દરેકનો પ્રથમ અક્ષર ગૂંથીને આ પ્રમાણે છે.
“સિગાસાય નમઃ આ પ્રકારથી પણ સંક્ષિપ્તરૂપનું પ્રરૂપણ કરવામાં આવ્યું.
મોમ નમઃ અરિહંત - અ, સિદ્ધ - અશરીરી-અ, આચાર્ય-આ, ઉપાધ્યાય ઉ=ઓ, સાધુ-મુનિ. મ.
અ + અ + આ + 9 + મ. ઓમ. (અ+ =આ, આ+ઉ= ઓ, મ = ઓમ)
ઓમને નમસ્કાર કરવાથી પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા આવવાથી અહંકાર શાંત પડે છે.
અહંકારથી બચવા વ્યવહારમાં પણ મનુષ્ય અતિ પરિશ્રમથી મેળવેલાં ભૌતિક સાધનોને માટે કહે છે કે આ તો ઈશ્વરકૃપા છે.
જૈનદર્શન એ વીતરાગદર્શન છે. વાસ્તવમાં વીતરાગ દેવ કોઈની પર કૃપા કે અક્ષા કરતા નથી. તેઓનો સર્વ જીવ પ્રત્યે સમાનભાવ હોય છે. સિદ્ધશીલા પર વિરાજમાન તેઓ સર્વને જાણે છે અને જુએ છે છતાં ભક્ત પોતાના અહંકારને સંયમમાં રાખવા “ભગવતકૃપા'' એ પ્રમાણે બોલે છે. ભગવાનના નામનો મહિમા કૃપારૂપ છે.
જે એમ માને છે કે હું જ્ઞાની છું ઘણો મોટો વિદ્વાન છું, તેનો વિકાસ
For Private And Personal Use Only