________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જીવન વિકાસનાં વીસ સોપાન સાથે જ આનંદ આપે છે. અંગ્રેજ મનુષ્ય કહ્યું કે મેં “એમ્બ' કે ઉજમ જોયું નથી પણ સર્વ ફળોમાં ગ્રેસ સર્વશ્રેષ્ઠ છે.
ભારતીય મનુષ્ય કહ્યું કે, તમારી વાત હું માનતો નથી દ્રાક્ષ સર્વશ્રેષ્ઠ ફળ છે. અમૃત જેવું મીઠું ફળ છે. પચવામાં પણ હલકું છે.
એટલામાં સ્ટેશન આવી ગયું. દરેક યાત્રી નીચે ઉતર્યા એક ખૂમચાવાળા પાસેથી દરેકે ફળ ખરીદ્યાં અને એકઠા થઈને જોયું તો દરેક અલગ અલગ ભાષામાં એક જ ફળની વાત કહી રહ્યા હતા. તે ચારે એક જ ફળની વાત કહી રહ્યા હતા. તે વાત ફળનું સ્વરૂપ જોતાં સમજાઈ.
કોઈપણ પ્રશ્નનો સાચો પ્રત્યુત્તર અનેકાન્તના સહારાથી શક્ય છે. ભગવાન મહાવીરે તેનો વ્યાપક પ્રચાર કર્યો હતો. તેમના પહેલાં જ્ઞાનીજનો તેનો પ્રયોગ કરતા જ આવ્યા હતા.
હનુમાનજી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ મનાતા હતા. ““બુદ્ધિમતાં વરેણ્ય' એકવાર રામચંદ્રજીએ તેમને પૂછ્યું, તમે કોણ છો ? તમારો પરિચય આપો. હનુમાનજી કહે:
देह दृष्टया तु दासोऽहम्, जीवदृष्टया त्वदंशकः
आत्मदृष्टया त्वमेवाहम्, इति मे निश्चिता मतिः દેહ દૃષ્ટિથી હું આપનો દાસ છું. જીવની દૃષ્ટિએ હું આપનો અંશ છું. આત્મ દૃષ્ટિએ આપની સમાન છું. આ મારી નિશ્ચિત માન્યતા છે.
હનુમાનજીની કેવી અનેકાન્ત યુક્ત મતિ છે? આવા અનેક દષ્ટાંતોથી અનેકાન્ત પ્રસિદ્ધિ પામે છે.
પ્રભુ મહાવીર દ્વારા અનેકાન્તનો વ્યાપક પ્રચાર થયો હતો તેને કારણે જૈનાચાર્ય અને દાર્શનિકોએ ઉદારચિત્તે તેના અનેકવિધ પ્રયોગ કરી આપસ આપસના કંઠનો છેદ કર્યો છે. મતભેદ દૂર કર્યા છે.
સન્મતિતર્ક પ્રકરણની એક ગાથા આ પ્રમાણે છે.
जेण विणा लोगस्स वि. ववहारो सव्वहा न निवडइ तस्स भुवणेकगुरुणो णमो अणेगन्तवायस्स.
જેના વિના સંસારનો વ્યવહાર પણ ચાલી શકે તેમ નથી, તે ત્રિભુવનનો એક માત્ર ગુરુ અનેકાન્તવાદ છે. તેને નમસ્કાર હો.
For Private And Personal Use Only