________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્ત
૨૧ આચાર્યજીએ આ પંક્તિ સાંભળી કવિ આગળ કંઈ બોલે તે પહેલાં તો આચાર્યજીએ શીધ્ર એક પંક્તિ સંભળાવી :
“ નપશક્યારથ જૈનવાદ.” પડદર્શનરૂપી પશુઓને જૈન સિદ્ધાંત (અનેકાન્ત)રૂપી વાડામાં ચરાવું છું.
વળી કોઈ ઈર્ષાળુ પંડિતે કોઈ જૈન સાધુને સામા આવતા જઈ ઈશારો કરી ને પોતાના મિત્રને કહ્યું કે ““જે આવા સાધુઓનું મુખ જુએ છે તે નરકમાં જાય છે.'
આ વાત સાંભળી જૈન સાધુએ હસતા મુખે પૂછ્યું કે “અને જે તમારું દર્શન કરે તે ક્યાં જાય છે.'
તે પડિતે શીધ્ર જવાબ આપ્યો “સ્વર્ગમાં” પંડિતની આ વાત સાંભળી જૈન સાધુ પ્રસન્નતાથી બોલ્યા કે “તમારા કથનાનુસાર મારા દર્શનથી તમે નરકમાં જશો અને તમારા દર્શનથી હું સ્વર્ગમાં જઈશ એમ નક્કી થયું. તેના પર બરાબર વિચાર કરો અને તેમાં ભૂલ હોય તો સુધારી લો”
પંડિતે લજ્જિત થઈને પોતાની ભૂલ સુધારી લીધી.
એકવાર કોઈ ઈર્ષાળુ વિદ્વાને પોતાના શિષ્યોને કહ્યું કે ““આ જૈન સાધુઓ ગંદા હોય છે તેઓ સ્નાનાદિ કરતા નથી.”
જૈન સાધુ સંયમી હતા તેમણે શાંતિથી તે વિદ્વાનને પ્રશ્ન પૂછ્યો.
મહાનુભાવ ! ગાય કદી સ્નાન કરતી નથી અને ભેંસ ઘણો વખત પાણીમાં જ પડી રહે છે. તમે બંનેમાંથી કોને પૂજ્ય ગણો છો.
બિચારા પંડિત નિરુત્તર રહ્યા. શું જવાબ આપે? એકાંગી દષ્ટિયુક્ત ઈર્ષાળુઓ આ પ્રકારે નિરુત્તર રહી લજ્જા પામતા હોય છે.
મુનિ સમયસુંદર ગણિના ઉદાહરણથી આપણે જાણી શક્યા કે એક શબ્દના અનેક અર્થ થઈ શકે છે. અને તેનું જ્ઞાન હોવાને કારણે સમન્વય થઈ જાય છે. તે પ્રકારે અનેક શબ્દોનો એક અર્થ પણ થઈ શકે છે. જ્યાં સુધી આવું જ્ઞાન થતું નથી ત્યાં સુધી મતભેદ થયા કરે છે.
દષ્ટાંત : પેસેન્જર ટ્રેઈનના ડબ્બામાં કેટલાક યાત્રીઓ બેઠા હતા. કયું ફળ શ્રેષ્ઠ છે? તેની વાત પર તે સૌ ઉગ્ર થઈ ગયા.
અરબી માણસે કહ્યું કે સર્વશ્રેષ્ઠ ફળ “એનબ' છે તે ઘણું સ્વાદિષ્ટ હોય છે.
તુર્કી માણસે કહ્યું કે “ઉજમ ફળ સર્વશ્રેષ્ઠ છે. તે મુખમાં મૂકતાંની
For Private And Personal Use Only