________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
જીવન વિકાસનાં વીસ સોપાન બહાર કાઢવાનો છે. બંને સંકલ્પ સારા છે પરંતુ માળા પોતે સાધ્ય નથી સગુણ ધારણ કરવા અને દુર્ગણ દૂર કરવા માટે સાધન માત્ર છે. માળા ગણીને જો જીવનશુદ્ધિ નું લક્ષ્ય પ્રાપ્ત ન કર્યું. તો માળા ફેરવવાનો શ્રમ વ્યર્થ છે. એને અંદરની તરફ ફેરવવાનો હેતુ છે, તમામ ગુણો અંદરમાં આવે છે. અંતિમ લક્ષ્ય છે મનને વશ કરવાનું, જીવનશુદ્ધિનું, દુર્ગુણોનો ત્યાગ કરવાનું, અને સદ્ગણોને આત્મસાત્ કરવાનું છે.
દષ્ટાંત : આચાર્ય હરિભદ્રસૂરિને સમયસુંદર નામે એક શિષ્ય હતો. તેને રાજદરબારમાં પંડિતો સાથે વાદ થયો. તેણે કહ્યું કે એક શબ્દના અનેક અર્થ થાય છે. કોઈ એક અર્થનો આગ્રહ રાખવો તે એકાંતવાદ છે, તેમાંથી સંઘર્ષ ઉત્પન્ન થાય છે. જો આપણે અન્યના તાત્પર્યને સમજીએ તો સઘર્ષ ન થાય.
રાજદરબારના અન્ય વિદ્વાનોએ તેનો પ્રતિવાદ કરીને કહ્યું કે નીચેના વાક્યોના અનેક અર્થ કરો. રાજાનો દદત સૌખ્યમ
સમયસુંદર મુનિ સમર્થ હતા. તેમની તર્ક-જ્ઞાન શક્તિ અગાધ હતી. તેમણે સમગ્ર શક્તિ વડે તે વાક્યના દસ લાખ વિભિન્ન અર્થ કરી બતાવ્યા. સભા તો એ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગઈ. આ સર્વ અર્થનું ગૂંથન કરી “અને કાર્યરત્નમંજુષા' ગ્રંથ પ્રકાશિત થયો છે. સંસ્કૃતમાં કહેવત છે કે :
સર્વે સર્વાર્થવારા : સર્વ શબ્દ પૂરા અર્થને પ્રગટ કરી શકે છે.
પ્રતિભાશાળી વિદ્વાન અનેકાન્તરૂપી રત્નના પ્રકાશ વડે મતભેદોનો અંધકાર મિટાવી શકે છે. બધા જ દર્શનો અનેકાન્તરૂપી વાડાના પશુઓ છે.
દૃષ્ટાંત : - મહરાજ સિદ્ધરાજની સભામાં એકવાર આચાર્ય હેમચંદ્રજી પધાર્યા. તેમના હાથમા દંડ અને ખભા પર કામળ હતી. જૈન શ્વેતાંબર સાધુના વેશમાં તેઓ હતા, તેમને આવતા જોઈ અન્ય ધર્મી કોઈ ઈર્ષાળુ કવિ તેમની હાંસી કરવા બોલ્યા :
__आगतो हेम गोपालो, दंड कम्बलमुदहन् દંડ અને કમ્બલ ધારણ કરીને હેમ ગોવાળ આવ્યો છે.
For Private And Personal Use Only