SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્ત ૧૯ બીજે દિવસે મુલ્લાજી દરબારમાં ગયા બહાર દ્વારપાળે દરબારમાં જવાનું પ્રયોજન પૂછ્યું ત્યારે તે બોલ્યા કે “આજે મને ફાંસી પર લટકાવી દેવાનો છે, બાદશાહે મને ફાંસી પર લટકાવી દેવા બોલાવ્યો છે તેથી હું તેમને મળવા આવ્યો છું. દ્વારપાળે આ સંદેશો બાદશાહને આપ્યો બાદશાહે મુલ્લાજીને દરબારમાં બોલાવ્યા. પણ તેને ફાંસીની સજા કરી શક્યા નહિ. મુલ્લાજીએ દ્વારપાળને કહ્યું હતું કે બાદશાહ મને ફાંસી પર લટકાવવાના છે, તે વાત અસત્ય હતી, તેથી ઘોષણા અનુસાર મુલ્લાજીને ફાંસીની સજા થવી જોઈએ. બીજી બાજુ તે મુલ્લાજીએ ગઈ કાલે કહ્યું હતું કે હું કાલે અસત્ય બોલીશ, તે કથન અનુસાર તે આજે અસત્ય બોલ્યા તે વાત પણ સત્ય હતી. તેથી તેને ફાંસી પર કેવી રીતે લટકાવી શકાય ? હવે આ તો મોટી સમસ્યા ઊભી થઈ. બાદશાહ સજ કરી શક્યા નહીં મુલ્લાજી પોતાની તર્કબાજી દ્વારા જીતી ગયા. ૨. દષ્ટાંત : મુલ્લાજીને બે પત્નીઓ હતી. તે દરેકને એકાંતમાં કહ્યા કરતા કે “તું તેના કરતાં અધિક સુંદર છું” સ્ત્રીઓના પેટમાં નવ માસ બાળક રહી શકે પણ વાત ન રહી શકે. એક વાર બંને પત્નીઓ વાતે વળગી. એકે બીજીને કહ્યું કે મુલ્લાજી મને તારા કરતાં અધિક સુંદર કહે છે. બીજીએ પણ પહેલીને એ જ વાત કહી. બંનેએ વિચાર્યું કે આનો અર્થ મુલ્લાજી આપણને મૂર્ખ માને છે. માટે આપણે તેમને બરાબર પાઠ ભણાવીએ. સાંજે મુલ્લાજી ઘરે આવ્યા ત્યારે બંને સ્ત્રીઓએ તેમને બેસાડીને પૂછ્યું કે અમારા બંનેમાંથી અધિક સુંદર કોણ છે તે કહો. મુલ્લાજી કહે - મને તમે બંને એક બીજાથી અધિક સુંદર લાગો છો. પત્નીઓ શું જવાબ આપે? આમ અનેકાન્તવાદી પ્રત્યુત્તરથી બંને પત્નીઓનું સમાધાન થયું, તે બંને સંતુષ્ટ થઈ. બાદશાહ અકબર જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ પ્રત્યે અત્યંત શ્રદ્ધા રાખતા હતા. એક દિવસ તેણે પ્રશ્ન કર્યો ગુરુદેવ ! આપ જ્યારે માળા ફેરવો છો ત્યારે મણકાને તમારી તરફ ફેરવો છો અમે મણકા બહાર ફેરવીએ છીએ. આ બંનેમાંથી કઈ પદ્ધતિ સારી છે. અને શા માટે ? આચાર્ય - મહાનુભાવ, માળા ફેરવવાની બંને પદ્ધતિ ઠીક છે. મણકાને બાહરની તરફ ફેરવવાનો હેતુ એક એક ગુણને આપણા મનમાંથી For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy