SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૮ ત્રીજા દેડકાભાઈ કહે તરી રહ્યાં નથી ફક્ત નદીનો www.kobatirth.org - જીવન વિકાસનાં વીસ સોપાન તમારી વાત ખોટી છે. આપણે કે લાકડું એકે પ્રવાહ વહી રહ્યો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથા દેડકાભાઈ કહે અરે મૂર્ખજનો નદી તો જ્યાં છે ત્યાં જ છે. વાસ્તવમાં પાણી વહી રહ્યું છે, અને પાણીની સપાટી પર લાકડું તરી રહ્યું છે અને તેના સહારે આપણે તરી રહ્યા છીએ. પણ જો પાણી વહેતું ન હોત તો લાકડું કે આપણે કોઈ તરી શક્યા હોત નહિ. ત્યાં વચમાં જ ત્રીજા દેડકાભાઈ ટપકી પડ્યા તે કહે - કોણ કહે છે કે પાણી વહી રહ્યું છે, તેનો પ્રવાહ શું સ્વતંત્ર છે ? જો તે સ્વતંત્ર છે તો સરોવરનું અને સમુદ્રનું પાણી કેમ વહેતું નથી ? નદીમાં પાણીને વહેવું પડે છે. કારણ કે નદી વહે છે. હા, સૂકી નદી વહી શકતી નથી. પરંતુ આપણે જે નદીની સપાટી પર છીએ તે નદી સૂકી નથી. તેથી મારું કથન સત્ય છે કે નદી વહી રહી છે. પાંચમો દેડકો વૃદ્ધ હતો, અનુભવી હતો. તેણે અનેકાંતદૃષ્ટિયુક્ત ઉત્તર આપ્યો : ભાઈઓ ! તમારા સર્વનું કથન દરેકની પોતાની દૃષ્ટિએ યોગ્ય છે, પણ અન્યની દૃષ્ટિએ તે ખોટું છે. નદી વહી રહી છે, પાણી વહી રહ્યું છે. લાકડું વહી રહ્યું છે. અને આપણે વહી રહ્યા છીએ. ચારેયના કથનમાં કંઈક તથ્ય છે પણ એકાંત આગ્રહને કારણે ચારેયનું કથન ખોટું ઠરે છે. જુઓ; નદી તો સ્થિર છે, પાણી પણ સ્થિર છે. નદીના ઢોળાવને કારણે પાણીનું વહેવું અનિવાર્ય છે. લાકડાનું પાણીને કારણે વહેવું અનિવાર્ય છે. હવે આપણી વાત કરીએ. આપણે લાકડા પર બેઠા છીએ, જેથી આપણે નથી તરતા કે નથી વહી રહ્યા. અનેકાન્તવાદી અનુભવી દેડકાની વાત એકાન્તવાદી દુરાગ્રહીઓથી સહન થઈ શકી નહિ, એ ચારેય દેડકાએ ભેગા થઈ પાંચમા દેડકાને પાણીમાં ધકેલી દીધો. એકાન્તવાદીઓ મોહવશ, દુરાગ્રહને કારણે તેમના ક્રૂર પરિણામનું ફળ બિચારા સત્યવાદી સમજદાર દેડકાને ભોગવવું પડ્યું પરંતુ અનેકાન્તવાદી સત્યને કારણે મૃત્યુથી ડરતો નથી. જેની પાસે સાચો તર્ક નથી તે તલવારનો સહારો લે છે. લોભ લાલચ અને દાનવતા પોષક માનવતાનો સહારો લે છે. તર્કના સામર્થ્યનું દૃષ્ટાંત જાણવા જેવું છે. દૃષ્ટાંત : એક બાદશાહે ઘોષણા કરાવી કે જે અસત્ય બોલશે તને પ્રાણદંડની સજા થશે. એક મોટા મુલ્લાજીએ તેની સામે બાથ ભીડી કે હું કાલે રાજસભામાં આવીશ, અસત્ય બોલીશ તો પણ મને પ્રાણદંડ નહિ થઈ શકે. For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy