________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન
- દૂધનો નાશ થતાં દહીં ઉત્પન્ન થયું. પરંતુ ઘી તો દૂધમાં અને દહીં બંનેમાં રહેલું છે. આવું જ જાણે છે તે સ્યાદ્વાદનો વિરોધી થઈ શકતો નથી.
जाति वाड्यात्मकं वस्तु, वदन्ननुभवो चितम् । भट्टो वापि मुरारिर्वा, नानेकान्तं प्रतिक्षिपेत् ॥ विज्ञानस्यैकमाकारम् नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो नानेकान्तं प्रतिक्षिपेत् ॥ इच्छन् प्रधानं सत्वायै विस्दैर्गुम्फितं गुणैः । सांख्यः संख्यवतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ॥ अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः ।।
बुवाणो ब्रह्म वेदान्ती, नानेकान्तं प्रतिक्षिपेत् ભાવાર્થ : કુમારિલ ભટ્ટ તથા મુરારિ નામના વિદ્વાનો વસ્તુને સામાન્ય - વિશેષાત્મક માને છે તે અનેકાંતનું ખંડન કરી શકતા નથી.
વિજ્ઞાનના એક આકારને અનેક આકારો યુક્ત માનવાવાળા બૌદ્ધ વિદ્વાનો દ્વારા અનેકાન્તનું ખંડન થઈ શકતું નથી.
બુદ્ધિમાનોમાં પ્રમુખ સાંખ્યદર્શનના પ્રણેતા કપિલમુનિ પ્રકૃતિને સત્વ, રજ અને તમ એવા ત્રણ વિરોધી ગુણોથી યુક્ત માને છે તેથી તે અનેકાન્તનું ખંડન કરી શકતા નથી.
વેદાન્તી વિદ્વાન બ્રહ્મને પરમાર્થથી અબદ્ધ અને વ્યવહારથી બદ્ધ માને છે, તેથી તે પણ અનેકાન્તનું ખંડન કરી શકતા નથી.
આ શ્લોકોમાં દર્શાવે છે કે અનેકાન્તનું ખંડન કરવાવાળા દાર્શનિક સ્વયં પોતાના સિદ્ધાંતોમાં પરસ્પર વિરુદ્ધ તથ્યોને એકત્ર માને છે. તેથી તેઓ કેવળ ષવશ અનેકાન્તનો વિરોધ કરે છે નૈતિકપણે તેમને વિરોધ કરવાનો અધિકાર નથી.
દેરાંત : એકવાર અનરાધાર વર્ષા થઈ. આખું ગામ તણાઈ ગયું. નદીમાં ત્યારે પૂર ચઢ્યું. એક લાકડા પર પાંચ દેડકા બેઠા હતા. લાકડું પાણીની સપાટી પર તરતું રહ્યું. દેડકાઓ બચી ગયા તેઓ પરસ્પર વાતચીત કરવા લાગ્યા.
પ્રથમ દેડકાભાઈ કહે – “આપણે તરી રહ્યા છીએ”
બીજ દેડકાભાઈ કહે - “નહિ, જે લાકડા પર આપણે બેઠા છીએ તે લાકડું તરી રહ્યું છે.
For Private And Personal Use Only