________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાસક્તિ
૧૧
અનાસિક્ત છે. જડ કે ચેતન પ્રતિ થતી આસક્તિ અનુચિત છે. મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે:
पक्षपातो न मे वीरे, न द्वषः कपिलादिषु, युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः
મહાવીર પ્રભુ પ્રત્યે મારો કોઈ પક્ષપાત નથી અને કપિલમુનિ આદિ પ્રત્યે કોઈ દ્વેષ નથી જેના વચન યુક્તિયુક્ત છે તે માન્ય કરવાં, એ મારો ધ્યેય છે.
જેમાં પક્ષપાત હોય તેના દોષ દેખાય નહિ, અને અન્યના ગુણ ન દેખાય, આથી પક્ષપાતી પોતાના ગુણનો વિકાસ કરી શકતો નથી. તેથી પક્ષપાત અને આસક્તિ સમસ્ત અનર્થોનું મૂળ છે.
संग अव मतः सूत्रे, निःशेषानर्थमन्दिरम् .
સૂત્રકારોએ સંગને (આસક્તિને) સમસ્ત અનિષ્ટોનું મૂળ માન્યું છે.
જેમ સરોવરના ઊંડા કાદવમાં હાથી ફસાઈ જાય પછી નીકળી શકતો નથી, તેમ પુત્ર પત્ની આદિ પરિવારમાં એક ફસાયેલો મનુષ્ય તેમાંથી નીકળી શકતો નથી. વળી ધનથી પણ વિશેષ મહત્ત્વ કે મમત્વ ધન દ્વારા ખરીદેલી વસ્તુઓમાં હોય છે. ત્યાર પછી વિશેષ મહત્ત્વ દેહ પ્રત્યે હોય છે. વાસ્તવમાં આત્મા જ મહત્ત્વનો પદાર્થ છે.
૧. દૃષ્ટાંત : નિપાણીથી એક વ્યક્તિ ધનોપાર્જન માટે મુંબઈ આવી હતી. પોતાની કુશળતા, શ્રમ અને પ્રારબ્ધના સહયોગથી તેને ધનોપાર્જનમાં સારી સફળતા મળી. ગાડી, વાડી, આદિનો યોગ મળ્યો, અને જીવન સુખમાં વ્યતીત થવા લાગ્યું. એકવાર તે શ્રીમંત બીમાર થયો. ડૉકટરે કહ્યું કે તમને બ્રેઇન ટ્યુમર થયું છે. જલદીથી લંડન જઈને એનું ઓપરેશન કરાવો નહિ તો મૃત્યુનું જોખમ છે.
આ સાંભળી બીમાર વ્યક્તિ વ્યાકુળ થઈ ગઈ. તેણે વિચાર્યું કે લંડન જઈને ઓપરેશન કરાવવામાં સઘળી એકઠી કરેલી સંપત્તિ, વાડી, ગાડી સર્વ વેચી દેવું પડશે છતાં શરીરની રક્ષા જરૂરી છે. જો શરીર બચશે તો વળી શ્રમ કરીને પુનઃ ધન ઉપાર્જન કરી લઈશ
આમ વિચારી તે દર્દી લંડન ગયો ઇલાજ કર્યો, સ્વસ્થ થઈને મુંબઈ પાછો આવ્યો. થોડાં વર્ષો સુખચેનમાં ગયાં પણ આખરે એક દિવસ અંતિમ આવ્યો અને તેણે ચિરવિદાય લીધી. તેની સાથે ધનમાલ કંઈ જઈ શક્યું નહિ ફક્ત તેણે કરેલાં શુભાશુભ કર્મ તેની સાથે ગયાં. તેથી પ્રમાણિત થાય છે કે ધન કરતાં શરીર અને શરીર કરતાં આત્માનું મૂલ્ય
For Private And Personal Use Only