________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
જીવન વિકાસનાં વીસ સોપાન નીકળશે. જીવ ગોળારૂપ છે પાણી આસક્તિરૂપ છે. સાધક ભેદજ્ઞાનને ધારણ કરીને આસક્તિથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે.
જીવનો પરિચય “હું” ના પ્રયોગથી થઈ શકે છે. હું કાણો, અંધ, બહેરો, મૂંગો ઇત્યાદિ બાહ્ય અવસ્થાના આધાર પર લોકોએ ઈદ્રિયોના સમૂહરૂપી દેહને જીવ માની લીધો. હું રોગી-નિરોગી, નાનો-મોટો, કાળો-ગોરો, નીચો-ઊંચો, વગેરે અવસ્થાઓ જોઈને કોઈ વિદ્વાનોએ તે અવસ્થાઓને જીવ માની લીધો.
ત્યાર પછી બુદ્ધિની ભૂમિકામાં સૂક્ષ્મ સંશોધન કર્યું હું સમજું છું. હું જાણું છું. વગેરે દ્વારા બુદ્ધિને જીવ માનવા લાગ્યા. હું વિચારું છું, હું અમુક માનું છું. હું ચિન્તા કરું છું આદિ પ્રયોગથી કોઈ વિદ્વાનોએ મનને જીવ માની લીધો.
આમ “હું” ના પ્રયોગ દ્વારા આ સમસ્ત માન્યતાઓ પ્રચારમાં આવી, પોતાના અસ્તિત્વનો જે અનુભવ કરે છે તે જીવ છે. ઇન્દ્રિયો, બુદ્ધિ, મન આદિ જીવ નથી. મારું શરીર, મારું મન એવો પ્રયોગ કોણ કરે છે ? એ વસ્તુને કોણ જાણે છે?
જીવ અને શરીરની ભિન્નતાના જ્ઞાનને ભેદવિજ્ઞાન કહે છે. જેના દ્વારા અનાસક્તિ ઉત્પન્ન થાય છે. જે વસ્તુ બાહ્ય છે તે જીવની સાથે જતી નથી.
धनानि भूमौ परावश्च गोष्ठे, कान्ता गृह द्वारि जनः स्मशाने. देहश्चितायां परलोक मार्गे
कर्मानुगो गच्छति जीव ओक : ધન જમીનમાં (પ્રાચીન જમાનામાં ધન જમીનમાં દાટવામાં આવતું હતું) પશું વાડામાં, પત્ની ઘરના દરવાજા સુધી, કુટુંબી, મિત્રો, સ્મશાન સુધી અને દેહ ચિતા સુધી સાથ આપે છે. ત્યાર પછી જીવ પોતાનાં શુભાશુભ કર્મ અનુસાર એકલો જાય છે.
આ સર્વ વસ્તુ પરાઈ છે. ઉધારી કરેલી છે, ઉદ્ધાર ઉધારથી ન થાય. ઉધારી કરેલી છે, ઉધાર લીધેલું છે તેથી તે ટકતું નથી.
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति. પુણ્ય ક્ષીણ થવાથી જીવને પુનઃ મૃત્યુલોકમાં જન્મ લેવો પડે છે. આધ્યાત્મિક ગુણ જ કેવળ અંત તક સાથે રહે છે તેના વિકાસનું ફળ
For Private And Personal Use Only