________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાસક્તિ
अपेक्षैव घनो बन्यः उपेक्षैव विमुक्तता અપેક્ષા દેઢ બંધન છે, ઉપેક્ષા મુક્તિ છે. आशाया ये दासा-स्ते दासा सर्वलोकस्य,
आशा दासी येषाम् तेषां दासायते लोकः જે આશાનો દાસ છે તે સમગ્ર જગતનો દાસ છે, પરંતુ આશા જેની દાસી છે, તે સમગ્ર સંસારનો સ્વામી છે. મહાત્મા કબીરે તેને બાદશાહોના પણ બાદશાહ કહ્યા છે.
ચાહ ગઈ, ચિત્તા મટી, મનુઆ બે પરવાહ,
જિસકો કછુ ન ચાહિયે, સોહી શાહશાહ. જ્યાં અપેક્ષા ઇચ્છા છે ત્યાં ચિંતા છે, જેને ઈચ્છા ઓ મટી ત્યાં ચિંતા મટે છે, તે મનુષ્ય નિફિકર હોય છે, જે વ્યક્તિને જગતના કોઈ પદાર્થની ઇચ્છા નથી તે બાદશાહનો પણ બાદશાહ છે.
અપેક્ષા રહિત માનવનું ચિત્ત દર્પણ જેવું સ્વચ્છ હોય છે. દર્પણમાં સેંકડો વસ્તુઓનું પ્રતિબિંબ ઝિલાય છે પણ દર્પણ કોઈ વસ્તુનો સંગ્રહ કરતું નથી. તે પ્રમાણે વિરક્ત જીવ પોતાના પરિચયમાં આવતી પ્રાપ્ત વસ્તુઓનો સંગ્રહ કરતો નથી, અપેક્ષા રહિત હોવાથી વસ્તુનો ઉપયોગ કરવા છતાં પણ તે અનાસક્ત છે.
પાણીના પાત્રમાં કોઈ પોતાનો હાથ નાંખે તો તે ભીંજાઈ જશે પરંતુ તેલ મર્દન કરેલો હાથ પાણીમાં નાંખશે તો તે ભીંજાશે નહિ. વિરક્તિનું મન પણ સંસારમાં તન્મય થઈ ભીંજાતું નથી. તે અનાસક્ત છે. અનાસક્તિનો અનુભવ કેવી રીતે થાય? ભેદ વિજ્ઞાન દ્વારા જીવ અન્ય છે, શરીર અન્ય છે.
अन्नो जीवो, अन्नं सरीरम् । सुत्रकृतांग. ઈદ્રિયો વિષયાસક્ત હોય છે, તેનો સંબંધ શરીર સાથે છે. વાસ્તવમાં જીવ શરીરથી ભિન્ન છે. શરીર જીવ નથી. અને જીવ શરીર નથી. મૃત્યુ બાદ શરીરને બાળી મૂકવામાં આવે છે. અને જીવ કાયમ રહે છે. તે પોતાના શુભાશુભબંધને કારણે તેનું ફળ ભોગવવા નવું શરીર ધારણ કરે છે. અર્થાત્ કર્માધીન ચોરાશી લાખ યોનિમાં ભટકે છે, તે જીવ છે શરીર નથી. શરીર નવું નવું મેળવે છે.
પાણી સહિત નાળિયેર તોડવામાં આવે તો અંદર ગોળો ટુકડા થઈને નીકળશે. પણ જો પાણી સુકાઈ ગયા પછી તોડવામાં આવે તો આખો ગોળો
For Private And Personal Use Only