________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનઃ સંયમ
૧૨૫ બદલે સ્કુલ કોલેજોના દુનિયાની, ખાલી માહિતી પીરસતા મિથ્યાજ્ઞાનમાં વધુ શ્રદ્ધા રાખે છે તે ભારતની પ્રજાનું આવી રહેલું ભારે પતન સૂચવે છે.
ગુરુ નાનક એકવાર ગંગાતટ પર સ્નાન કરી રહ્યા હતા. તે વખતે તેમની નજર એક બ્રાહ્મણ પર પડી. તે સ્નાન કરતાં કરતાં બંને હાથ વડે પાણી પીતો હતો. નાનકજીએ તેને કહ્યું, “અરે ભાઈ ! મારો આ લોટો લો અને તેનાથી પાણી પીઓ.” બ્રાહ્મણ - નહિ, તમારો લોટો અપવિત્ર છે.
બ્રાહ્મણ – “લોટો તો બ્રાહ્મણનો જ પવિત્ર ગણાય"
નાનક - “મેં આ લોટો માટીથી ત્રણવાર માંજીને ગંગાજળમાં બરાબર સાફ કર્યો છે.”
બ્રાહ્મણ - “તેથી કંઈ પવિત્ર ન ગણાય, ગંગાજળમાં ધોવાથી તેમાં શું ફરક પડે?'
આપણાં આત્માને ધોવો પડે ! લોટાને તો પાણીમાં માંજીને શુદ્ધ કરવો ઘણો સરળ છે કારણ તેનાં માં વાસના કે વિકારો જનમ જનમથી નથી કારણકે તે તો જડ છે. જ્યારે આપણી આત્મા ને શુદ્ધ કરવાં ખાલી ગંગાસ્નાન જ પુરતી નથી ગંગાસ્નાન કર્યાબાદ ના, આત્મશુદ્ધિનાં આંતર શુદ્ધિના શાસ્ત્રો એ માર્ગો બતાવ્યા છે. આ સાંભળીને ભારતમાં જન્મેલાં તે પુરુષને ઘણી ખુશ થઈ.
મનની ચાલ ઘણી અટપટી છે. દિવસે વિચારેલું અધૂરું કાર્ય સ્વપ્નમાં પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે તેમાં કોઈવાર મુશ્કેલી ઊભી થાય છે.
એક ભિખારી હતો. તે કોઈ ઝવેરીની દુકાનની પાસે સૂઈ ગયો હતો. રાત્રે કોઈ વરરાજાની સવારી ત્યાંથી નીકળી બેંડવાજાં, નાચગાન તથા રોશની સાથે વરરાજા ઘોડીપર બેઠા હતા. વરરાજા બહુમૂલ્ય વસ્ત્રો અને અલંકારોથી સજ્જ હતા, અને ઘોડીને પણ એ પ્રકારે સજાવી હતી.
આ જોઈને ભિખારી વિચારવા લાગ્યો કે મેં એક રૂપિયાની લોટરીની ટિકિટ લઈ રાખી છે. જો મારો નંબર લાગી જાય અને મને દસ લાખ રૂપિયા પ્રથમ પુરસ્કારના મળે; તો તેમાંથી હું એક બંગલો ખરીદું અને આ વરરાજાની જેમ ઘોડી પર બેસીને પરણવા જાઉ આમ વિચારમાં ને વિચારમાં તે ઊંઘી ગયો.
હવે સ્વપ્નની દુનિયામાં તેણે જોયું કે ખરેખર તેની લોટરી નો પ્રથમ પુરસ્કાર તેના નામ પર જાહેર થયો છે. તેણે તેમાંથી પાંચ લાખમાં એક બંગલો ખરીદી લીધો. લગ્ન માટે તેની પાસે ઘણી કન્યાઓના ફોટાઓ
For Private And Personal Use Only