________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનઃ સંયમ
૧૨૩
ગર્વ સાથે મહાત્માને પોતાનો પરિચય આપ્યો “હું સિકંદર છું, મેં અનેક દેશો મારા બાહુબળથી મેળવ્યા છે. હવે ભારત પર વિજય પ્રાપ્ત કરવા આવ્યો છું.''
મહાત્મા : ‘‘ભારત પર વિજય પ્રાપ્ત કર્યા પછી આપ શું કરશો ?’' સિકંદર : ‘“પછી આફ્રિકા પર વિજય પ્રાપ્ત કરીશ''
મહાત્મા : ‘‘ત્યાર પછી શું કરશો ?''
સિકંદર : ‘ત્યાર પછી ક્રમશઃ યુરોપ, અમેરિકા, જાપાન, જર્મની વગેરે સમસ્ત દેશો પર વિજય પ્રાપ્ત કરીશ.'’
મહાત્મા : વારુ, ‘‘સમસ્ત પૃથવી પર અધિકાર પ્રાપ્ત કરીને પછી શું કરશો ?'’
સકંદર : ‘પછી આકાશના તારાઓ જીતવા પ્રયાસ કરીશ''
મહાત્મા : બહુ સરસ, માનો કે જમીન, આકાશ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો, પછી શું કરશો ?’’
સિકંદર : ‘‘પછી તો હું આરામ કરીશ''
મહાત્માજી : (હસી પડ્યા) ભલા માણસ ! આ સર્વ વિજય પ્રાપ્ત કરીને તારે જો કેવળ આરામ કરવો છે તો તું હમણાં શા માટે આરામ નથી કરતો ! આટલી ખટપટ, ચિંતા, સંઘર્ષ, લૂંટફાટ, સંહાર કર્યા પછી આરામનો નિર્ણય શામાટે કરે છે ? અને આરામ મળશે પણ કેવી રીતે ?’'
સિકંદર આગળ કંઈ જ જવાબ આપી ન શક્યો. संतोषः परमं सुखम्
એક વૃદ્ધા રાત્રે વીજળીના દીવા નીચે માર્ગ પર પોતાની સોય શોધી રહી હતી પણ તે જડતી ન હતી. ત્યાં એક યુવાને પૂછ્યું ‘‘માતાજી તમારી સોય ક્યાં પડી ગઈ હતી ?''
ઘરમાં સોય પડી ગઈ હતી’
માતાજી
યુવાન - હાસ્ય સાથે ‘‘તો પછી સોય ઘરમાં શોધવી જોઈએ ને ? તમે તો બહાર શોધી રહ્યાં છો તે કેવી રીતે મળે ?’’
વૃદ્ધા – ‘‘હું સોય અહીં એટલા માટે શોધું છું કે પ્રકાશ અહીં છે.’’ વૃદ્ધાની વાત પર આપણને હાંસી થશે પણ આપણે સૌ એવી જ
For Private And Personal Use Only