________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
જીવન વિકાસનાં વીસ સોપાન સમાપ્ત થવાની તૈયારીમાં છે. તેનું અંતિમ પૃષ્ઠ બાકી છે માટે કૃપા કરીને હમણાં જ તમારો પરિચય આપો જેથી મારી ઉત્સુકતા શાંત થાય.'
મિશ્રજીનો અત્યંતાગ્રહ જોઈને પત્નીએ પરિચય આપ્યો ! - “હું આપની પત્ની છું. વર્ષો પહેલાં આપની સાથે મારાં લગ્ન થયાં પછી આપ ભાષ્યની રચના કરતા રહ્યા અને હું આપની સેવા કરતી રહી. આપે કદિ મારા સામે જોયું નથી પણ હું તો તમારા દર્શન નિરંતર કરતી રહી છું.”
મિશ્રજી અત્યંત ભાવવિભોર થઈ ગયા અને બોલ્યા - પ્રેયસ મે જે કંઈ રચના કરી તેમાં તારી તપસ્યા મુખ્ય છે. તારી નિસ્વાર્થ સેવાથી હું આ ભાષ્ય પૂર્ણ કરી શક્યો છું તેથી આ ભાષ્યનું નામ “ભામતી ટીકા” રાખું છું, જેથી મારા નામ સાથે તારું નામ પણ અમર બનશે.
આજે આ ગ્રંથનું અસ્તિત્વ પંડિત વાચસ્પતિ મિશ્રજીની તન્મયતા, કઠોર સાધના, નિરંતર ચિંતનનું એક પ્રતીક છે, સાથે સેવાપરાયણ પત્નીનું ઉદાહરણ છે.
મન ચિંતનમાં લાગે ત્યારે આત્મોન્નતિ સરળ બને છે, મન જે ચંચળ જ રહ્યા કરે તો કેવી દુર્દશા થાય છે.
લખનૌ પર જ્યારે અંગ્રેજોએ આક્રમણ કર્યું ત્યારે તેના પરાજય પામીને ભાગી ગઈ. અંગ્રેજો રાજમહેલમાં પહોંચ્યા ત્યારે એક ચોકીદાર પોતાનો પ્રાણ બચાવવા ભાગી રહ્યો હતો. અંગ્રેજો નવાબ સાહેબના ખંડમાં આવ્યા ત્યારે તેઓ આરામથી ત્યાં જ બેઠા હતા. એક અંગ્રેજે આશ્ચર્યથી પૂછ્યું. ““તમારું સૈન્ય, સિપાઈઓ સર્વે ભાગી ગયાં છે તમે કેમ ભાગ્યા નહિ ?”
નવાબ સાહેબ : “હું તો ભાગવા માટે તૈયાર થઈને બેઠો છું પણ મને જૂતા પહેરાવવા કોઈ આવ્યું નથી તેથી કેવી રીતે ભાગી શકે?
આ છે વૈભવની પરાકાષ્ઠા, કેવળ પરાધીનતા. નવાબને વૈભવે જે પ્રકારે પરાધીન બનાવ્યા હતા તે પ્રકારે મનને વશ રાખવામાં ન આવે તો તે શરીર અને ઈદ્રિયોને પરવશ બનાવે છે.
મન જડ છે અને આકૃતિ રહિત હોવાથી સદા મૃતપ્રાય છે આવા મૃત મન દ્વારા સંસાર સ્વયં મૃતપ્રાય થતો રહે છે. આવું મૂર્ખતાનું ચક્ર કેવું વિચિત્ર છે? મન તૃષ્ણા દ્વારા મનુષ્યને અને સમસ્ત સંસારને મારે છે.
સિકંદરે ભારત પર આક્રમણ કરીને કેટલાંક રાજ્યો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે એકવાર કોઈ મહાત્માના દર્શન માટે ગયો. ત્યાં તેણે ઘણા
For Private And Personal Use Only