________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
જીવન વિકાસનાં વીસ સોપાન उसको डर किस बात का जिसका सही हिसाब । सत्पुरुषों की जीवनी
चंदन खुली खिताब !। જેની દાનત સારી છે, જે નીતિમાન છે તેને ભય શા માટે હોય ? સજ્જનોનું જીવન ખુલ્લી પુસ્તક જેવું હોય છે. જે નિર્ભય હોય છે તે અન્યને નિર્ભય જોવા માંગે છે. તેથી તેનો વ્યહાર સૌમ્ય હોય છે. પણ જે પોતે ડરપોક હોય છે તે અન્ય ને પણ ડરાવે છે. ચેપીરોગની જેમ તે ભયનો પણ સર્વત્ર ફેલાવો કરે છે. તેવા મનુષ્યોથી દૂર રહેવું.
ભગવાન મહાવીરે કહ્યું છે ભયભીત ન થાવ, ભયભીતની આસપાસ ભય વ્યાપી જાય છે. ડરપોકની આસપાસ ભય વૃદ્ધિ પામે છે તથી નિર્ભયતા ધારણ કરીને વ્યવહારના ક્ષેત્રમાં રહેવું.
બગદાદમાં એકવાર પચાસ હજાર વ્યક્તિઓ મહામારીમાં મૃત્યુ પામી. તેમાં પાંચ હજાર તો વાસ્તવિક રોગથી મૃત્યુ પામી હતી અને શેષ પિસ્તાળીસ હજાર મહામારીના ભયથી મૃત્યુ પામી હતી. વળી મહામારીના કરતાં મહામારીનો ભય વધુ અધિક ઘાતક સિદ્ધ થયો હતો.
બિહાર પ્રાંતના એક ગામમાં વર્ષોના આગમન પહેલાં એક મનુષ્ય પોતાની ઝૂંપડીના છાપરા પર નળિયાં ગોઠવતો હતો. તેને લાગ્યું કે તેની આંગળીમાં કાંટો ઘૂસી ગયો છે. તેથી તેની ઉપેક્ષા કરીને તે શાંતિથી કામ કરતો રહ્યો. ત્યાર પછી એક વર્ષને અંતે તે પુનઃ તે કામ કરતો હતો ત્યાં તેણે નળિયાં નીચે એક મરેલા સર્પનું સૂકું શરીર જોયું. તરત જ તેને યાદ આવ્યું કે ગયે વર્ષે મને જે કાંટો વાગ્યો હતો તે વાસ્તવમાં તો સર્પદંશ હતો. આવા વિચાર થતાની સાથે તેના રોમે રોમે ભય વ્યાપી ગયો, તે શરીરની સમતુલા જાળવી ન શક્યો ને છત પરથી નીચે પડ્યો, થોડીવારમાં તેનો પ્રાણ ઉડી ગયો. આ દૃષ્ટાંત પરથી એમ સમજાય છે કે સર્પદંશથી પણ ભયંકર સર્પનો ભય છે.
ચાર યુવાનો વિદ્યાભ્યાસ માટે બનારસ ગયા હતા. તેઓ નીકળ્યા ત્યારે પડોશમાં રહેતી એક વૃદ્ધાએ તેમને એક એક લોટો ભરીને છાશ પીવડાવી હતી, બનારસ બાર વરસ રહીને તેઓ પંડિત થઈને દેશમાં પાછા આવ્યા ત્યારે તેઓ તે વૃદ્ધાને પ્રણામ કરવા ગયા. વૃદ્ધા અત્યંત ખુશ થઈને બોલી, ભગવાનનો ઉપકાર માનો કે તમે જીવંત છો. તમે જ્યારે અહીંથી નીકળ્યા અને મેં તમને છાશ પીવડાવી હતી તે માટલીમાંથી તો મરેલો સર્પ
For Private And Personal Use Only