________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૦૭ રાખનાર વ્યક્તિ ધન પ્રાપ્તિ માટે પાપ નહિ કરે તેથી નિર્ભય હોય છે. ભયથી હાથ પગ ધ્રૂજે છે. મોં સુકાવા લાગે છે. અને શક્તિ ક્ષીણ થાય છે.
વિચારકોએ ભય ઉત્પન્ન થવાનાં ચાર કારણ દર્શાવ્યાં છે.
૧. શક્તિહીનતા ૨. ભય - નામક મોહનીય કર્મનો ઉદય, ૩. ભયાનક દૃશ્ય, ૪. ભયના કારણોની સ્મૃતિ.
બળવાનની અપેક્ષાએ નબળો મનુષ્ય વધુ ભયભીત હોય છે. તેથી દરેકે પોતાની શક્તિનો વિકાસ કરવો જોઈએ.
મોહનીયકર્મના ઉદયથી જે ભય પેદા થાય છે તે કર્મ ક્ષીણ કરવા તપસ્યા કરવાની જરૂર છે. શાસ્ત્રોમાં તેની અત્યંત ઉપાદેયતા દર્શાવી છે. જીવનને તેજસ્વી સશક્ત થતા સાહસિક બનાવવા માટે તપની વિવિધતા બતાવી છે.
સિંહ, નાગ, રીંછ આદિ ભયંકર પ્રાણીઓને જોઈને પ્રાણ કંપી ઊઠે છે. અને વ્યક્તિ ભયભીત થઈ જાય છે. જે ભયંકર દશ્ય જોઈને ગભરાઈ જાય છે તે તેનાથી બચવાનો ઉપાય યોજી શકતો નથી. ભયના કારણોનું સ્મરણ કરીને ડરવું તે એવો દુર્ગુણ છે કે તેને સીધી મૂર્ખાઈ ગણી શકાય કંઈપણ કારણ વગર કેવળ કલ્પના કરીને ભયભીત થવું તે શું ઉચત છે ? તેવી દુર્દશાનું વર્ણન કરતાં એક શાયરે કહ્યું છે :
इरादे बांधता हूं, सोचता हूँ, तोडदेता हूँ
कहीं ऐसा न होय जाये, कहीं वैसा न हो जाय ! સ્થાનાંગ સૂત્રમાં આ ચાર કારણો દર્શાવ્યાં છે, અન્ય શાસ્ત્રોમાં ભયના સાત કારણો કહ્યાં છે.
આ લોકમાં મારું થશે, તેમાં માનવને માનવનો ભય અને પશુને પશુનો સજાતીય ભય, પરલોકનો ભય - આ જન્મ પછી શું થશે અથવા વિજાતીય ભય, જેમકે મનુષ્યને સિંહાદિનો ભય અને સિંહને હાથી આદિનો ભય. આદાન ભય - સાધન સામગ્રી ચોરાઈ જવાનો ભય, અકસ્માત ભય-કારણ વગર કલ્પનાથી કંઈ અવનવું બનશે તેવો ભય. વેદનાભય - પીડા, વેદનાથી ભય પામવો મરણભય-મૃત્યુનો ભય લાગવો અપમાનભય - કોઈથી માન હાનિ થવી.
જ્યાં સુધી ભય નિકટ ન આવે ત્યાં સુધી તેનો ઉપાય શોધવો જોઈએ અને ભય નિકટ આવે ત્યારે તેના પર પ્રહાર કરવો જોઈએ. સજ્જન હંમેશાં નિર્ભય હોય છે. તેના જીવનમાં કંઈ છળ પ્રપંચ હોતો નથી.
For Private And Personal Use Only