________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જીવન વિકાસનાં વીસ સોપાન
તમે જાણો છો કે ભારતભરનું રાજ્ય બહુમતીથી ચાલે છે. અહીં અમારા ચારેની પાસે પૂના જવા પૂનાની ટિકિટ છે. તેથી ગાડી પૂના જ જશે. જશે શું ? ગાડી પૂના જવી જ જોઈએ. તમારી પાસે ટિકિટ નથી અને વળી પાછા કહો છો કે તમારી ટિકિટ ખોટી છે, તમે ખોટી ગાડી પકડી છે. તમારા એકના કહેવાથી ગાડી ખોટી થઈ શકતી નથી આ તો બહુમતીનું રાજ્ય છે. 'So we are right and you are wrong.'
સંસારના તમામ ક્ષેત્રમાં ગતાનુગતિક આવું બધે ચાલે છે. અમે કરીએ છીએ તે સાચું છે. ગુરુભગવંતો કે ધર્મશાસ્ત્રો કહે છે કે ગતાનુગતિક છે માટે અમારે કરવું નથી કહેનારા ને બોધ પાઠ મળે છે.
સંસારમાં ગતાનુ ગતિક પણ જો હિત કરતુ હોય સર્વનુ તો તે કરવામાં જરા પણ નાનપ ન હોવી જોઈએ તો પછી ધર્મમાં ગતાનુ ગતિક દ્વારા સકળ વિશ્વનાં લોકોનુ હિત સમાયેલું હોય તો તે કરવામાં જરા પણ હેઝીટેશન ન હોવુ જોઈએ.
૧૬. નિર્ભયતા
સાહસિક સજ્જનો !
ભય, સાહસથી વિરોધી સ્થાન ધરાવે છે. જે પ્રાણી પાપ કરતાં નથી તે ભયભીત થતાં નથી.
પડોશીની સાધન
સામગ્રી જોઈને અન્ય ગૃહસ્થ પોતાની આવશ્યક્તાઓ વધારી દે છે. પછી તેનો ક્યાંય અંત આવતો નથી. તે આવશ્યકતાઓ પૂર્ણ ક૨વા ધન જોઈએ તેને માટે તે અન્યાય કે અસત્ય કરે છે. લાંચ લે છે, અનીતિ આચરે છે. દગો પ્રપંચ કરે છે. આમ પાપ વધતું જાયછે સાથે ચિંતા અને ભય પણ વધે છે.
પેટ ભરવું સહેલું છે પટારો ભરવો કઠણ છે. આપણે પેટ ભરાવા છતાં પટારો ભરવા માંગીએ છીએ. સંગ્રહ કરવા ઇચ્છીએ છીએ. અને એ ભૂલી જઈએ છીએ કે તૃષ્ણા અનંત છે. તેની પૂર્તિ થવાની સંભાવના નથી. તે ભૂલી જઈએ છીએ.
जो दस बीस पचास भये, सत होई हजार तु लाख मंगेगी, कोटि अरब खरब असंख्य धरापति होनेगी चाह जगेगी स्वर्ग पातालका राज्य करूं, तृसना मनमें अति ही उमगेगी 'सुन्दर' ओक संतोष बिना, तेरी तो भूख कभी न मिटेगी । સંતોષ વિના તૃષ્ણા શાંત થતી નથી. આવશ્યક્તાઓની મર્યાદા
For Private And Personal Use Only