SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ ૧૦૫ છે. શાહી નમાજ પછી શાહી ભોજન હોય છે. તેમાં ઉત્તમ મિષ્ટાન્ન વગેરે હશે. હું તે પુરું પેટ ભરીને ખાઈ શકે તેટલા માટે સવારથી જ ભૂખ્યો રહીશ. “બીબીએ તેમની વાતનો સ્વીકાર કરી કહ્યું ભલે આજે તમારે માટે રસોઈ નહિ બનાવું'' મુલ્લાજી ભૂખ્યા પેટે નમાજ પઢાવવા લાગ્યા. તેમનું મન કે ધ્યાન તો બાદશાહને ખુશ કરવા તરફ હતું ખુદા પ્રત્યે ન હતું. નિયમ મુજબ નમાજ પૂર્ણ થયે સૌ શાહી ભોજન કરવા ગોઠવાઈ ગયા. ભિન્ન ભિન્ન સામગ્રી ટેબલ પર મૂક્વામાં આવી હતી. સૌએ ભોજન શરૂ કર્યું અને અલ્પાહાર કરી સૌ ઊઠી ગયા. મુલ્લાજી એ વિચાર્યું કે આ લોકો ઊઠી ગયા અને હું જો બેસી રહીશ તો શિષ્ટતા જળવાશે નહિ. આમ ઇચ્છા ન હોવા છતાં મુલ્લાજીને શિષ્ટતા ખાતર ઊઠવું પડ્યું તેઓ ત્યાંથી દોડીને સીધા ઘેર પહોંચ્યા બીબીને કહ્યું “પેટમાં ઉંદરડા દોડે છે જલદી રસોઈ બનાવ' બીબી શાહી ભોજનથી પેટ ભરાયું નહિ” મિયાંજીએ પૂરી હકીકત કહી સંભળાવી કે ભોજનની સામગ્રી તો ઉત્તમ હતી પણ શિષ્ટતા ખાતર ભૂખ્યા આવવું પડ્યું. બીબી કુશળ હતી. તેણે કહ્યું કે તમે પુનઃ નમાજ પઢો કારણ કે એ નમાજ તો બાદશાહને તથા શાહી મહેમાનોને ખુશ કરવા માટે હતી. કેવળ દેખાવ હતો તે ખુદાને માટે ન હતી. ખુદા સુધી નમાજ પહોંચી નથી. તેથી શાહી ભોજન પણ તમારા પેટ સુધી પહોંચ્યું નહિ. માટે તમે ખુદાને પહોંચે તેવી નમાજ પઢો હું ત્યાં સુધી તમારે માટે ભોજન તૈયાર કરું. અર્થાત ધર્મ જો સ્વનાં કલ્યાણ માટે હશે તો તે આત્મા સુધી પહોંચશે જેનું ચિત્ત સત્ત્વશીલ હોય છે તે ધર્મમાં પ્રવેશ પામે છે. ધર્મ સદ્ગુણોનો સ્રોત છે, અભિગમ છે, તેમાં સત્ત્વની વિશેષતા હશે તો ધર્મના દેખાવનું કારણ પણ અનેક લોકોને ધર્મમાર્ગે આણનાર બનશે. ચાર મિત્રો હતા તેઓ પૂનાની ટિકિટ લઈને ગુજરાત મેઈલમાં બેસી ગયા. ગાડી ઊપડી દાદર સ્ટેશન આવ્યું ત્યાં ટી.ટી.એ તેમની પાસે ટિકિટ માગી. ટી.ટી.એ એકની ટિકીટ જોઈને કહ્યું કે તમારી ટિકિટ પૂનાની છે તમે ખોટી ગાડી પકડી છે. પછી બીજાની જોઈ તે પણ પૂનાની હતી ટી.ટી.એ તેને પણ એ જ વાત સમજાવી ટી.ટી.એ ત્રીજાની જોઈ તે પણ પૂનાની હતી. ટી.ટી.એ ત્રીજાને પણ એ જ કહ્યું ત્યારે ત્રીજો તો છળી ગયો અને કહ્યું કે You are wrong I have my ticket you are without Ticket So you must get out, or sit dawn without any question. ચોથાએ તો વગર પૂછ્યું જ કહ્યું કે “તમે કઈ દુનિયાના માણસ છો ? For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy