________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
www.kobatirth.org
जरा मरणवेगेणं
बुज्झमाणाण पाणिणं ।
धम्मो दीवो पइट्ठाय
હે રાજન ! એક ધર્મ જ રક્ષક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન
ગ સરળમુત્તમમ્ || ઉત્તરાધ્યાયન
વૃદ્ધાવસ્થા અને મૃત્યુના પ્રવાહમાં તણાતા પ્રાણીઓને ધર્મ દ્વીપ સમાન છે, ધર્મ પ્રતિષ્ઠા છે, ધર્મ ગતિ અને ઉત્તમ શરણ છે.
એનો દુ ધમ્મો નઙેવ તાળમ્ || ઉત્તરાધ્યાન
સમાન્ય વ્યવહારમાં પણ વિવિધ ધર્મો દર્શાવ્યા છે. ભૌતિક સમૃદ્ધિમાં જો નૈતિકતા હોય તો જ તે વ્યક્તિ બુદ્ધિમાન માનવી. જ્યારે અંતરમાંથી રાગ દ્વેષ ક્ષીણ કે નષ્ટ થાય ત્યારે આત્મકલ્યાણની સિદ્ધિ થાય છે. મનઃશુદ્ધિ થાય ત્યારે સ્વયં ધર્મ સ્થાપિત થાય છે.
अन्तः करणशुद्धित्वं धर्मत्वम् ॥
ચિત્તની શુદ્ધિ તે જ ધર્મ છે.
ગાય કાળી, સફેદ કે લાલ ગમે તે રંગવાળી હશે પણ તેનું દૂધ તો સફેદ જ મળશે. તે પ્રકારે વાસ્તવિક ધર્મ ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં પણ એક જ હોય. ઉપરનો દેખાવ નહિ પણ અંદરનો માલ બરાબર જોવો. દૂધમાં ક્રીમ કાઢી લીધા પછી સત્ત્વહીન દૂધની જેમ લોકો ધર્મની વહેંચણી કરે છે. પરંતુ તેમાંથી શાંતિ પ્રાપ્ત થતી નથી. સત્ત્વ હીન દૂધપાનથી ભલે માનો કે મેં દૂધ પીધું પરંતુ તેનાથી શક્તિ પ્રાપ્ત થતી નથી. દૂધ જેમ શક્તિવર્ધક હોવું જોઈએ તેમ ધર્મ પણ શાંતિદાયક હોવો જોઈએ તેની પરીક્ષા કરીને ગ્રહણ કરવો.
पन्ना सम्मिक्खअ धम्मम् ॥
બુદ્ધિ ધર્મની સમીક્ષા કે પરીક્ષા કરી શકે છે.
લોકોને ધર્મની સમીક્ષા કે પરીક્ષા કરવાનો સમય ક્યાં છે ? તેથી શાસ્ત્રોના નામ પર કહેવામાં આવતી વાતોને સાચી માનીને ભ્રમમાં પડે છે. હજારો વર્ષોથી એવી શાસ્ત્રના નામે ચાલતી વાતો પર હિંસક યજ્ઞ થતા આવ્યા છે. માંસાહાર- લોલુપ કહેવાતા પંડિતોએ યજ્ઞોમાં પશુવધ કરીને પોતે માંસ ખાધું. પ્રસાદના નામે જનતાને તે ખાવામાં પ્રેરણા આપી. તેથી ભગવાન મહાવીરે ઘોષણા કરી હતી કે ધર્મ પણ પરીક્ષા કરીને સ્વીકારવો. ધર્મ કરવા યોગ્ય લાગે તો જ તેનું પાલન કરવું.
For Private And Personal Use Only