________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્મ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
અહિંસા અને નૈતિકતા એ બે ધર્મના પ્રાણ છે. તેના અભાવમાં ધર્મ જીવિત રહી શકે નહિ.
ભારતમાં ધર્મપ્રચારક કેવા થયા છે ? શાસ્ત્રો દ્વારા હિંસામૂલક કે કોઈ પ્રલોભન દ્વારા ધર્મનો અહીં પ્રચાર થયો નથી. હા, તર્ક ના બળપર અહીં ધર્માત્મા કે મહાત્માઓએ ધર્મનું સ્વરૂપ મજાવવાનો પ્રયાસ કર્યો છે. ધનના ત્યાગી સાધુજનો કોઈને ધનનું પ્રલોભન આપી શકતા ન હતા. તેઓ પોતાની પ્રવચન કળાથી ગામેગામ વિહાર કરીને લોકોની બુદ્ધિને જાગૃત કરતા હતા, જેથી જનતા સાચા ધર્મને સમજીને સ્વીકાર કરે. જો કે કેવળ પ્રવચન દ્વારા નહિ પરંતુ તેઓએ લોકોની સામે એક આદર્શ મૂકો કે સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ એ જ ધર્મ છે. ધર્મ જ આપણા આત્માનો સાચો પરિચય આપે છે.
મંદિર, મસ્જિદ, ચર્ચ, પૂજા, નમાજ, પ્રાર્થના દ્વારા કોઈ પોતાને ધર્માત્મા મનાવી શકે છે. પરંતુ અંતરની પવિત્રતા વિના તે ધર્માત્મા હોઈ શક્તા નથી.
કોઈ દિ ચમચાને પૂછે કે તું એક કલાકથી શીખંડ પીરસે છે તો બતાવ કે તેનો સ્વાદ કેવો છે ? તો તમને કદાચ જવાબ મળે કે ‘તદ્દન નિરસ' આ બાબત કહેવાતા ધર્મી જનોને લાગુ પડે છે. તમે ધર્મ સ્થાનોમાં જાઓ છો. કંઈક પૂજા વિધિ વગેરે કરો છો કેટલીકવાર લોકોને બતાવવા માટે કરો છો. તેથી તે સર્વ ‘નિરસ' લાગે છે. કોઈ પ્રકારનો સ્વાદ જ આવતો નથી ધાર્મિક ક્રિયા આનંદ માટે છે, પ્રદર્શન માટે નથી.
એક બડા મુલ્લાજી એક સરોવર કિનારે હજારો મુસ્લિમોને નમાજ પઢાવી રહ્યા હતા. અચાનક તેમની પીઠ પર ખણજ થઈ તેથી તેમણે ખણવું પડ્યું. નમાજીઓનું સમગ્ર ધ્યાન મુલ્લાજી પરત્વે હતું. તે સૌએ માન્યું કે આ ક્રિયા નમાજનું એક અંગ છે. તેથી પ્રથમની પંક્તિવાળાએ દરેકે પોતાની પીઠ પર ખણવાનું શરૂ કર્યું, તેમની આ ક્રિયાથી પાછળની પંક્તિવાળાને કોણીનો ધક્કો લાગ્યો, બીજી પંક્તિવાળા સમજ્યા કે આવો ધક્કો મારવો તે નમાજનું એક અંગ છે. પછીની પંક્તિવાળાને આ ધક્કો લાગ્યો તે સમજ્યા
આ એક ક્રિયા છે. આમ ધક્કાની ક્રિયા છેલ્લી પંક્તિ સુધી પહોંચી. મુશ્કેલી એ થઈ કે આખરની પંક્તિવાળા સરેવરની પાળની તદ્દન નજીક હતા. તેઓ ધક્કાથી ધબાધબ પાણીમાં પડવા લાગ્યા. તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમણે ધક્કા મારવાનું કારણ પૂછ્યું ત્યારે દરેક પંક્તિએ આગળની પંક્તિવાળાની તરફ આંગળી ચીંધી કહ્યું કે :
પાછળથી આવેલા ધક્કાને નમાજની વિધિ સમજી અમે આગળ
For Private And Personal Use Only