________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
જીવન વિકાસનાં વિસ સોપાન વાસનાથી મુક્ત કરે છે. વિદ્રોહી ડેન્માર્કની પ્રજાએ પંચડ યુદ્ધમાં આલ્ફડની સેનાને હાર આપી. પરાજિત આફ્રેડ તેની રાણી અને થોડા સૈનિકો સાથે એક દુર્ગમાં છુપાઈ ગયા હતા દિવસો પસાર થતા હતા ખાદ્યસામગ્રી પૂરી થઈ ગઈ હતી. દરેકને ત્રણ દિવસના ઉપવાસ થયા હતા, આવી પરિસ્થિતિમાં એક સુધાતુર સૈનિક આલ્ફડની પાસે આવ્યો, અને કંઈક ખાવાની વસ્તુ માંગવા લાગ્યો.
આલ્ફડે તેની રાણી સામું જોયું ઘણા દિવસ પછી ઘણી મુશ્કેલીએ આજે એક રોટલી મળી હતી. રાણીએ તેના બે ભાગ કરી રાખ્યા હતા. આલ્ફડે રાણીને કહ્યું “રાણી આ સૈનિક અતિ ભૂખ્યો છે, તમે મારા ભાગની અડધી રોટલી એને આપો વળી સૈનિકો ખોરાકની શોધમાં ગયા છે તે અવશ્ય કંઈક લઈને આવશે. રાણી પતિપરાયણ અને ઉદાર હતી. તેણે ક્ષુધાતુર સૈનિકને બંનેના ભાગની રોટલી ભેગી કરીને આપી દીધી. પુણ્યનું ફળ પણ તાત્કાલિક મળ્યું. થોડી જ વારમાં સૈનિકો પૂરતી ખાદ્ય સામગ્રી લઈને આવી પહોંચ્યા શ્રદ્ધા વગર આવું સાહસ કોણ કરે ? કોઈ વિચારકે સુંદર વાત કહી છે. ___ "लो मत भलेही स्वर्ग मिलता हो
किन्तु देदो भले ही स्वर्ग देना पडे !" દૃષ્ટાંત : એક દરિયાખેડુએ પોતાના વ્યવહારમાં આ આદર્શ ચરિતાર્થ કર્યો હતો. દોબ્રીવે પોતાના જહાજમાં માલ ભરીને વ્યાપારાર્થે અન્ય દેશ પ્રત્યે જઈ રહ્યો હતો. માર્ગમાં ગુલામોને ભરીને જતું એક જહાજ તેણે જોયું તેનું મન અત્યંત સહાનુભૂતિથી દ્રવિત થઈ ગયું. તે જહાજના માલિક સાથે વાતચીત કરીને તેણે જહાજની બદલી કરી લીધી. ગુલામોની પૂરી કિંમત ચૂકવવા તે જહાજને પોતે પોતાની કિંમતી વસ્તુઓ આપીને ખરીદી લીધું પછી દરેક ગુલામોને તેણે સૌ સૌના સ્થાને રવાના કર્યા. ત્યાર પછી એક કન્યા અને એની દાસી બાકી રહી ગયાં. કન્યા રૂસના સમ્રાટની રાજકુમારી હતી તે પોતાને દેશ પાછી જવા માંગતી ન હતી દોબ્રીવેની આવી ઉદારતા જોઈને તે એવી પ્રભાવિત થઈ ગઈ કે તેણે દોબ્રીવે સાથે રાજીખુશીથી લગ્ન કરી લીધાં.
દોબ્રીવે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે આ હકીકતથી તેના પિતા ખૂબ નારાજ થયા તેમને આવી ઉદારતા ખપતી ન હતી. છતાં તેમણે કોબ્રીવને ફરીથી બીજું જહાજ આપી રવાના કર્યો, પરંતુ તે એક કોઈ દેશમાં પહોંચ્યો ત્યાં ખબર મળી કે રાજ્યના કરની રકમ ન ભરવાથી ઘણા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે. તેણે પોતાના જહાજની તમામ સામગ્રી વેચને રાજ્યમાં
For Private And Personal Use Only