________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન
૯૫ તેમને મળવા આવ્યા. તેમણે પૂછ્યું કે “તમે તમારી વિશાળ સંપત્તિનું વસિયતનામું બનાવ્યું છે?”
શેઠજી – સંપત્તિ ! મારી પાસે તો કેવળ સત્તરલાખની રકમ છે. પરંતુ તેનું વસિયતનામું થઈ શકે તેમ નથી.
મિત્ર - કરોડોની મિલકતના માલિક હોવા છતાં તમે સત્તર લાખની વાત કરો છો ? તમને કોઈ ભ્રમ થયો નથી ને ?
શેઠજી - ભાઈ ! મને કોઈ ભ્રમ થયો નથી મેં ફક્ત સત્તર લાખની રકમનું દાન કર્યું છે તેથી હું તેનો સ્વામી છું. શેષ સંપત્તિ કે જેને આપ જુઓ છો તેના માલિક તો પુત્રપૌત્રાદિ છે. દાન દ્વારા જે પુણ્યોપાર્જન થયું તે જ મારી સાથે આવશે. બાકી તો સર્વ અહીં છૂટી જશે ને ?
યથાર્થ સમજપૂર્વક કરેલા દાનનો જ હું માલિક છું.
મહાભારતના યુદ્ધક્ષેત્રમાં એક દિવસ કર્ણ ઘાયલ થઈને પડ્યો હતો. શ્રીકૃષ્ણ તેની દાનવીરતાની પરીક્ષા કરવા બ્રાહ્મણ વેષ ધરીને તેની પાસે આવ્યા. તે વખતે કર્ણની પાસે કોઈ આપવા યોગ્ય વસ્તુ ન હતી. કર્ણ વિચારવા લાગ્યો જે યાચક ખાલી હાથે જશે તો તેનો નિયમ ભંગ થશે. તે તેની દાનવીરતાની પ્રસિદ્ધિને કલંકરૂપ થશે. કર્ણની દાન કરવાની તીવ્ર આકાંક્ષા હતી. તરત જ તેને વિચાર ફૂર્યો કે તેના દાંતમાં સોનાની એક મેખ લગાવેલી છે. તરત જ તેણે પત્થર દ્વારા દાંત તોડીને સુવર્ણમેખને બહાર કાઢી, અને બ્રાહ્મણવેશ ધારી ઍકૃષ્ણ ને અર્પણ કરી. શ્રીકૃષ્ણ પ્રસન્ન અને સંતુષ્ટ થયા અને પ્રગટ થઈ તેની પ્રશંસા કરી.
કુદરતના પ્રકારોમાં એક અનોખી ભાષા હોય છે. તટ પર જળ પ્રવાહની લહેરોને ટકરાવતા સરોવરે એક દિવસ સરિતાને પૂછ્યું “ઘણે દૂરથી લાવેલી જણસંપદાને ખારા સમુદ્રમાં ઠાલવીને કેવી મૂર્ખાઈ કરે છે ?
સરિતા : - પ્રતિફળની આકાંક્ષા રહિત નિરંતર પ્રદાન મારો ધર્મ છે. દાન માં જીવનની સફળતા છે, સંગ્રહ કરવામાં નહિ.
થોડા મહિના પસાર થયા ગરમીની ઋતુ શરૂ થઈ સરોવરનું પાણી સુકાઈ ગયું. કાદવ કીચડ માત્ર શેષ રહ્યાં હતાં, તેની આવી દુર્દશા જોઈને સરિતા બોલી સરોવર ! તારી જલરાશિ કયાં ગઈ ? હું ક્ષીણકાય થવા છતાં જીવિત છું કારણ કે નિરંતર વહ્યા કરું છું. અને પ્રદાન કરું છું.
સરોવર લજ્જિત થઈ અધિક સુકાઈ ગયું. તેને ઘણો પશ્ચાતાપ થયો. પણ સમય વીતી ગયા પછી સર્વ વ્યર્થ હોય છે.
ગુણોનો વિકાસ પર્યાપ્ત નથી તેની પરાકાષ્ઠા જ જીવને સમગ્રપણે
For Private And Personal Use Only