________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
જીવન વિકાસનાં વીસ સોપાન
ધનની ત્રણ ગતિ મનાય છે. દાન, ભોગ અને નાશ, જો ધનનો દાનમાં કે ભોગમાં ઉપયોગ કરવામાં આવતો નથી તેના ધનની ત્રીજી ગતિ અર્થાત્ નાશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दातव्यं भाक्तव्यम्
सति विभवे सञ्चयो न कर्तव्यः ।
पश्येह मधुकरीणाम् सञ्चितमर्थं हरन्त्यन्ये
- સારંગધર પદ્ધતિ.
ધનપ્રાપ્તિ પછી તેનું દાન કરો અથવા ભોગ કરો. પરંતુ સંગ્રહ નહિ કરો, નહિ તો જેમ મધમાખીઓએ સંચિત કરેલું મધ કોઈ બીજો લઈ જાય છે તેવી દશા થશે.
ધન હોવા છતાં જે દાન કરતો નથી કે ભોગવતો નથી તે ખરેખર તે ધનનો સ્વામી નથી, તે કંજૂસ ઘાસના પૂતળા જેવો છે, કે જે અન્ય માટે અનાજની રક્ષા કરે છે.
વ્યક્તિ જ્યાં જ્યાં દાન કરે છે ત્યાં ત્યાં તેનો આત્મા ઉજ્જ્વળ બને છે. ગૃહસ્થનો ધર્મ દાન છે. દાન ન કરવાવાળો જો ગૃહસ્થ કહેવાય તો પક્ષી પણ ગૃહસ્થ કહી શકાય કારણ કે તેઓ પણ ઘર બાંધે છે. ઉત્તમ ગૃહસ્થ એ છે કે યાચકની આવશ્યક્તાને તરત જ સમજી લે છે અને તે યાચના કરે તે પહેલાં તેને વસ્તુનું દાન કરે છે.
उत्तमो प्रार्थितो वत्ते,
मध्यमः प्रार्थितः पुनः । याचकैर्याच्यमानोऽपि,
दत्ते न त्वधमाधमा । चन्द्र चरितम्
માંગ્યા વિના દાન કરવાવાળો ઉત્તમ છે. માંગ્યા પછી આપે તે મધ્યમ છે. માંગ્યા છતાં જે યાચકને આપતો નથી તે અધમ છે.
જે સુપાત્રમાં દાન કરે છે અને પ્રતિદિન પોતાની જરૂરિયાત પ્રમાણે ઉપભોગ કરે છે તે ધન તમારું હોય છે. અન્યથા તે ધન અન્યનું છે તમે કેવળ તેના રખેવાળ રહો છો.
દૃષ્ટાંત : સર હુકમીચંદ ઇન્દોરમાં કાપડ બજારમાં રાજા કહેવાતા હતા. તેમની પાસે કરોડોની સંપત્તિ હતી. એક દિવસ તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હતું. તે પોતાના મહેલમાં સુખશય્યા પર આરામ કરતા હતા. એક મિત્ર
For Private And Personal Use Only