________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
જીવન વિકાસનાં વીસ સોપાન આમંત્રણ મોકલ્યું પરંતુ નિયમાનુસાર ભિક્ષા પ્રાપ્તિની આશા ન હોવાથી કોઈ ભિક્ષા લેવા આવ્યું નહિ.
આખરે એક ભાંડ એક સાધુનો વેશ લઈને ભિક્ષા લેવા આવ્યો. વેશ્યાએ ખૂબ આદરસત્કાર સહિત બહુમૂલ્ય સ્વાદિષ્ટ ભોજન તેના પાત્રમાં આપ્યું. ભાંડ સડક પર ઊભો ઊભો તે ખાવા લાગ્યો. લોકો જાણતા હતા કે એ ભાંડ છે તેણે ખોટો વેશ ધારણ કર્યો છે. તેથી લોકો પ્રશંસા કરવાને બદલે તેને પત્થર મારવા લાગ્યા, આથી તે બોલ્યો :
वह साधु वह श्राविका तू वैश्या में भांड थारा मारा भग्य सूं
पत्थर बरसे रांड ત્યાગ વિવેક સહિત હોવો જોઈએ. ત્યાગ અને ત્યાગનું અંધ અનુસરણ કરવાથી આવી દુર્દશા થાય છે. પ્રવચન પછી તમને પૂછવામાં આવે કે સંસાર કેવો છે ? તમે કહો કે “સંસાર તો ઝેર જેવો છે.' પછી તમને કહેવામાં આવે, તો હવે ચાલો અમારી સાથે, તો કેટલા માણસો તૈયાર થશો ? ત્યાગ ખરેખર કઠિન માર્ગ છે. છતાં જીવનનો આધ્યાત્મિક વિકાસ વિવેક સહિત ત્યાગ વગર શકય નથી.
૧૪. દાન દાનવીર પુણ્યાત્માઓ!
દાનમાં ત્યાગ સમાહિત હોય છે. દાનમાં ત્યાગ કરવો પડે છે પણ ત્યાગમાં દાન વિશેષત: સાધુ જનો કરતા નથી. અણગાર ઘરનો ત્યાગ કરે છે પણ ઘરનું દાન કરતા નથી. ત્યાગમાં મમતાનો ત્યાગ છે. દાનમાં પરોપકારવૃત્તિ છે.
अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् । विधि द्रव्य दातृ पात्र विषेशाद्तविशेषः ॥
- શ્રી તત્ત્વાર્થ સૂત્ર અનુગ્રહાયને માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન છે વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનમાં વિશેષતા ઉત્પન્ન થાય છે.
આ સૂત્રથી એ ફલિત થાય છે કે દાનમાં ત્યાગની અપેક્ષાએ અધિક વિચાર કરવો જરૂરી છે. દેશ કાળ તથા ઔચિત્યનો તથા દાન ગ્રહણ
For Private And Personal Use Only