________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણેદય દરેક ક્ષેત્રમાં ફળે છે. તે ભાગ્ય કેવું ફળ આપશે તેને કોઈ પત્તા હોતો નથી. ભાગ્ય કાળા નાગને ફૂલોને હાર બનાવી શકે છે અને ઝેરને પણ અમૃત બનાવી શકે છે.
શ્રીમંતનું ઘર મેટું હોય છે, પણ દિલ છેટું હોય છે. ગરીબનું ઘર નાનું હોય છે, પણ દિલ મેટું હોય છે. એક ગરીબ પોતાના ભેજનમાંથી બીજા ગરીબ ભાઈને આપે છે. પણ ધનિક પોતાની ભરેલી મીઠાઈઓની થાળીમાંથી કોઈનેય ટુકડે પણ આપતો નથી. ગરીબ થેડામાં થે ડું ભગવાનની પૂજા-દાનમાં વાપરે છે, પણ ધનિક લાખે રૂપિયામાંથી વાપરવાની ભાવના રાખતા નથી.
ગરીબની જેમ ધનિક ઉદાર બની જાય તે દુનિયામાં ગરીબ રહે જ નહિ.
હારજીત તે મનુષ્યના અહંકા૨નું પ્રતીક છે. પરંતુ સમજૂતી અને સંધિ એ બુદ્ધિમાનનું ચિહ્ન છે. હારજીત પશુઓમાં પણ છે. ત્યાં સમજૂતીની કલ્પના હતી નથી; સમજૂતી એ તે મનુષ્યની બુદ્ધિની ઊપજ છે. મનુષ્ય યુદ્ધમાં, ઝઘડામાં સમજૂતીની ભાષા નથી જાણતો. તેનામાં અને પશુમાં કશે જ ફરક નથી.
બાળકને દેખીને જેના મનમાં નેહ ન જાગે, મિત્રને દેખીને જેના મનમાં પ્રીતિ ન જાગે, દુઃખીને દેખીને કરુણું ન થાય, માતા-પિતાને દેખીને જેનું મસ્તક આદરથી નમી જી. અ. ૫
For Private And Personal Use Only