________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણે દયા
૪૩. દુનિયાની વસ્તુને મેળવનાર પોતે મરી જતાં પિતે ક્યાં ચાલ્યા ગયે તે શોધી શકતું નથી.
આપણી કેટલીક પુસ્થાઈ છે કે આપણને મનુષ્યભવ. મળે છે. પણ તેને આપણે ભૌતિક પદાર્થો પાછળ વેડફી રહ્યા છીએ.
ભૌતિક પદાર્થો અનંત કાળથી મળ્યા છે. તે બધા પદાર્થો જડ છે પણ આત્મા તે ચિતન્યમય છે. તે ચિતન્ય સાથે જડ પદાર્થનો એક અંશ પણ આવવાનો નથી.
સંસારમાં રહીને પણ ન્યારા રહેવાનું છે. આત્માની સમજણ ન હોય તે જડમાં ભાન ભૂલીને ચીકણું કર્મબંધન કરીએ છીએ અને આત્મા જેવી કઈ વસ્તુ યાદ રહેતી નથી.
સમજવાનું એ છે કે ધર્મ વેઠ ઉતારવા જેવી વસ્તુ નથી.
તળાવ ભરેલું હોય અને માણસ તર ચાલ્યા જાય તે શરમ તળાવની છે. આપણી પાસે કોઈ ધન લેવા આવે તે જરૂર આપણું પુણ્યને ઉદય છે.
આપણે તે કાળના કેળિયા છીએ. કાળ તે મહા ભયંકર છે. આપણે ક્યાં જવાના છીએ તેને પણ આપણે ખ્યાલ રાખતા નથી. માટે આપણે કેણ છીએ તેને વિચાર કરવાનો છે.
કદી ગર્વ કરવાનો નથી. જેમ ઘંટીમાં ઘઉં દળાઈ જાય છે તેમ કાળને ઘંટલે તે ચાલ્યા જ કરે છે અને માણસ તેમાં ભીંસાઈ મરે છે. ગર્વ કરશે તે કાળ તમને જલદી પકડશે.
For Private And Personal Use Only