________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ ચોથાની શંકા હતી કે પાંચ ભૂત છે કે નહિ ?” વેદપદેથી તે શંકા દૂર કરી કે પાંચ ભૂતે છે. પાંચમાંની શંકા હતી કે “પ્રાણું જે આ ભવમાં હોય તે જ પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે?” તે તેને જવાબ મળે કે “કર્મની અપેક્ષાએ ગતિ સૂચવી છે. આજે વાદી ગુણયુક્ત મનુષ્ય ફરીને પણ મનુષ્ય-જન્મ મેળવે છે. પણ પાપી મનુષ્ય મરીને પશુ અથવા નારકી પણ થાય છે. માયાદિ દેષયુક્ત પશુ ફરીને પણ પશુજન્મ મેળવે છે પણ ભદ્રિક પરિણામી પશુ મરીને મનુષ્ય અથવા દેવ પણ થાય છે. આવી રીતે પ્રાણીઓની જુદી જુદી ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે.”
છઠ્ઠાની શંકા હતી કે “અત્યારે કમને બંધ કે કર્મથી મેક્ષ છે કે નહિ ? ”
પ્રભુએ કહ્યું, “મુકતાત્મા કર્મથી બંધાતું નથી એટલે શુભ-અશુભ કર્મના બંધનરહિત છે. સંસારી આત્માને તે કર્મને બંધ અને કર્મથી મોક્ષ છે.”
સાતમા મૌર્યપુત્રને શંકા હતી કે “દેવે છે કે નહિ?”
પ્રભુએ કહ્યું, “અહીં સમવસરણમાં આવેલા આ દેવોને તું અને હું પ્રત્યક્ષ દેખીએ છીએ.”
આઠમા અલંપિતને સંશય હતું કે, “નારકી છે કે નહિ?”
પ્રભુએ કહ્યું, “જે પ્રાણી ઉત્કૃષ્ટ–પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે.”
For Private And Personal Use Only