________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીને મહાવત પ્રત્યે ગાઢ રાગ હતા તે મહાવતને ગામની વેશ્યા પ્રતિ અનુરાગ હતો.
કામદેવને રાગ બધાને અંધ બનાવે છે. કી રાત્રે ન જોઈ શકે, ઘુવડ દિવસે ન જોઈ શકે તેમ કામાંધ દિવસે કે રાત્રે ન જોઈ શકે.
ભર્તુહરિને પિંગલા પ્રતિ રાગ હતો. તેને મહાવત પ્રત્યે અનુરાગ હતું. આથી ભતૃહરિને સંસાર અસાર લાગે. બધે ભય લાગ્યો. ફક્ત વૈરાગ્ય અભય લાગે. તેને મનની પવિત્રતા ખૂબ હતી. તેણે કહ્યું :
ભેગમાં રગને ભય છે. ભેગ તે રોગને આમંત્રણ છે. પૈસાદારને રાજ્યને ભય છે. ધનપ્રાપ્તિ એટલે ભય. માનમાં દૈત્યનો ભય છે. બળમાં દુશમનને ભય છે. રૂપને અપહરણને ભય છે. યુદ્ધને ભય છે.
શાસ્ત્રમાં વાદને ભય છે. વિદ્વાન હોય તેને જ્યારે ત્યારે શાસ્ત્રાર્થ કરવાનો હોય. તેમાં હારે તેને ભય હેય છે.
ગુણને લુચ્ચાનો ભય છે. કાયાને નાશને ભય છે. શરીર ત્યાં મૃત્યુ નિશ્ચિત.
આમ દરેક વસ્તુમાં ભય છે. અભય હોય તો ફક્ત એક જ, અને તે વૈરાગ્ય.
સંવેગ એ વૈરાગ્યની પ્રાપ્તિ છે.
જીવનમાં યથાશક્તિ ત્યાગ કરે તેથી જીવનનૈયા મોક્ષ પ્રતિ ગતિ કરે.
For Private And Personal Use Only