________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
પાપ * આપણને જે કંઈ મુસીબત, પ્રતિકૂળતા આવે છે તે પાપના ઉદયથી જ આવે છે. તે સિવાય દુઃખ આવે જ નહિ. માટે આવેલી તકલીફને સમભાવે સહન કરી. લેવી. જ્યારે પાપને અંત આવે છે ત્યારે આપોઆપ અનુકૂળતા આવી જાય છે.
સુખ–દુ:ખ * કોઈના પણ દિવસે બધા જ સરખા જતા નથી. કોઈ વાર દુઃખ આવે તે કઈ વાર સુખ. માટે સુખમાં હર્ષ ન કરે ને દુઃખમાં શોક ન કરવો. સમભાવે દુઃખને સહન કરવાથી અવશ્ય દુઃખનો અંત આવે છે ને સુખની પ્રાપ્તિ થાય છે.
વિચાર XX વિચારની શક્તિ ઘણી છે. વિચાર જ જગત નિર્માણ અને નાશ કરી શકે છે. સ્વીકાર, તિરસ્કાર અને નિર્માણ સર્વ પ્રથમ મનુષ્યના વિચારમાં જ જન્મ લે છે. ભૂતકાળના વિચારોને અનુકૂળ થવાવાળી ક્ષણ તે વર્તમાન છે અને વિચારોના ગર્ભમાં જન્મ લેવાવાળે સમય તે ભવિષ્ય છે. તમારા જેવા વિચારો હશે તેવું જ વર્તન કરી શકશે.
For Private And Personal Use Only