________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
પ્રાર્થના * આપણે ભગવાનની પાસે સંસારમાંથી છૂટવા માટે પ્રાર્થના કરવાની છે. જ્યારે તમે તો સંસારને લીલુંછમ બનાવવા, સંસારની વૃદ્ધિ કરવા માટે ભગવાનની પાસે પ્રાર્થના કરે છે. પ્રાર્થના કર્યા વગર પણ સંસારની વૃદ્ધિ તો થવાની જ છે, સંસારને ઘટાડવા માટે પ્રાર્થના કરવી જોઈએ.
અનાચાર * દેખીને લેવાની ઈચ્છા થાય તે અતિક્રમ, લેવાની તૈયારી તે વ્યતિકમ, લેવા માટે હાથ લગાડે તે અતિચાર અને લઈ લો તે અનાચાર હોય છે. અતિચારમાં રક્ષણ હોય છે જ્યારે અનાચારમાં રક્ષણ નથી હોતું.
ત્યાગ * તમે વિશ્વાસ રાખે, ત્યાગ કરો. ત્યાગથી તમારા શરીર અને મનની શુદ્ધિ થશે.
અવિશ્વાસ * ધર્મસાધનામાં આપણે અવિશ્વાસ લઈને ચાલીએ છીએ, પછી કામ ક્યાંથી પૂર્ણ થાય ?!
For Private And Personal Use Only