________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
મેહ * રાગદશા ભયંકર છે. એમાં ફસાયેલા મિટા મોટા માણસો અનર્થ કરી બેસે છે. જે શરીરની સુંદરતાને જુએ છે પણ ગુણ તરફ તેની દૃષ્ટિ હોતી નથી, પિતાને પ્રિય લાગે તેની ગમે તેવી ભૂલ તે માફ કરે છે, પરંતુ અન્યની સહેજ ભૂલ તે માફ કરી શકતા નથી.
અશાંતિ * જીવનમાં ઊભી થયેલી અશાંતિથી અનેક પ્રકારના રેગે ઉત્પન્ન થાય છે. માનસિક તનાવ, દબાવ રહે છે અને તેને લીધે ભયંકર બીમારીઓ આવે છે. મન ઉપર માનસિક દબાવ આવવાથી બ્લડપ્રેશર અને ચિંતાઓથી હેમરેજ થાય છે.
માનવતા * જે ગરીબ હોવા છતાં પિતાના એક રોટલામાંથી અડધે ભાગ ભૂખ્યા પડોશીને આપીને ખાય છે તે જ માનવ છે, તેમાં માનવત છે. પણ પિતાના હાથમાં બે રોટલા હોવા છતાં ભૂખ્યાને આપતો નથી અને ગરીબને ચૂસે છે તે દાનવ છે.
For Private And Personal Use Only