________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય તેને સત્ય જ માને. પણ અસત્યવાદી કોઈવાર મહાન સત્ય બેલી જાય તે પણ લેકે તેને અસત્ય જ માને છે.
* જે જીવન સત્યથી દૂર છે તે જીવનમાં કઈ સુગંધ નથી.
* સત્યની ઉપાસના માટે જીવનમાત્રમાં આત્મશ્રદ્ધાની માફક આત્મ સાહસની જરૂરિયાત રહે છે.
* જીવનમાં સત્ય અનેક સ્વરૂપે પ્રગટ થતું હોય છે. આથી કોઈ એક જ દશનને સત્ય માની લેવાની વાત ક્યારેક ભ્રમમાં પરિણમે છે. સત્યના માર્ગ માટે આત્મશ્રદ્ધા અને સ્વયં નિયંત્રણ બંને અનિવાર્ય છે. જે કે આમ છતાં સત્યનું દર્શન હંમેશાં સ્વાનુભવ દ્વારા પ્રગટે છે. એટલે જ્યાં સુધી સત્ય મેળવવાની સાહસવૃત્તિ જાગે નહિ ત્યાં સુધી કેવળ માહિતી પૂરતી નથી.
* સત્યની ઉપાસનાથી વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી શકે છે. સત્યની ઉપાસનાથી વિકારી વાસનાનો નાશ થાય છે. સત્યની ઉપાસનાથી જીવનમાં સદાચાર આવે છે, જીવનમાં સંયમની સુવાસ આવે છે. એક વખત સત્યને સ્વીકાર્યા પછી તેની પાછળ જીવન સમર્પણ કરવું જોઈએ, જેથી જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત થાય.
* આજે આપણી કમનસીબી છે કે લેકે અસત્યમાં જેટલે વિશ્વાસ રાખે છે તેટલે સત્યમાં રાખતા નથી. હકીકતમાં સંસાર નિરપેક્ષ છે. અપેક્ષાએ તે આપણે
For Private And Personal Use Only