________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય.
કેળવણી * જે નિયમયુક્ત વિદ્યા છે તે જ સાચી વિદ્યા છે. જે વિઘાથી વિનમ્રતા ન બતાવે એની વિદ્યા શા કામની? વિનયવિહોણું તે અવિદ્યા છે.
* કેળવણું લીધી હોય પરંતુ મનના સંક૯૫–વિકલ્પ દૂર થાય નહીં, ઉન્માર્ગથી બચાય નહીં, સદાચારમાં પ્રવૃત્ત થવાય નહીં અને જીવનમાં સત્ય-શાંતિ સ્થપાયા નહીં તો એ કેળવણીનો અર્થ નથી.
* માયા–મમતાનું જોર ઘટે, રાગ-દ્વેષ ઓછા થાય, સંકલ્પ અને આત્મા સ્થિર થાય, સદાચાર અને નીતિમય જીવન જીવાય તે માટે કેળવણું જરૂરી છે.
* ખાણમાંથી નીકળેલો હીર સાવ સામાન્ય હોય છે. તેને કારીગર ઘાટ આપે છે ને તેજ વધારે છે, પછી તેની કિંમત વધે છે. તેવી રીતે પ્રથમ વ્યક્તિ સામાન્ય કક્ષામાં હોય છે અને તેને જેમ જેમ કેળવણીના સંસ્કાર આપ- . વામાં આવે તેમ તેમ માણસ આગળ આવે છે, પ્રગતિ
સમતા * આપણે બીજાને સુધારવા માટે સમતા રાખવાની. છે, ક્રોધથી કોઈ સુધરશે નહીં, માટે તમારા આત્માને સતત સમતામાં રાખવાને છે.
For Private And Personal Use Only