________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણેાદય
નિંદા * જેને બીજાઓની નિંદા સાંભળવી ગમે તે અગ્ય છે, નિંદા સાંભળવામાં પાપ છે. નિંદા આત્માને અસાધ્ય રોગ છે. તે આવ્યા પછી કાઢવો મુશ્કેલ છે, માટે નિંદાને આત્મામાં પ્રવેશ થવા દેવો નહીં.
ભકિત * નિષ્કામ ભાવથી ભક્તિ કરવામાં આવે તો ભાવના ભગવાન સુધી પહોંચાડી દે છે, એટલે કે, પરમાત્મા બનાવી દે છે.
* જે દિવસે આપણે જમ્યા છીએ તે જ દિવસથી મૃત્યુની યાત્રા શરૂ થઈ છે. થોડા દિવસેમાં એ યાત્રા પૂર્ણ થઈ જશે. માટે એ યાત્રા પૂર્ણ થાય તે પહેલાં– આંખ બંધ થાય એ પહેલાં આપણે જીવનમાં પ્રાપ્ત કરવાનું છે. માટે જાગૃત થઈને જીવનમાં પ્રભુભક્તિ કરે. ભક્તિ એ જ જ્ઞાન–વૈરાગ્યની માતા છે.
વિનય * કદી પણ આપણે કોઈનું અપમાન ન કરવું. પ્રાણુ માત્રને માન ગમે છે, અપમાનથી આઘાત અનુભવે છે. અપમાન કરવાથી અપમાન કરનારનું પુણ્ય નાશ પામે છે અને સામેની વ્યક્તિને આત્મા દુભાય છે. માન આપવાથી સૌને આત્મા પ્રસન્ન થાય છે, તે પણ એક દાન છે.
For Private And Personal Use Only