________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણાદય
૩૩ પવિત્ર કરીને જજો જેથી તમારા મનમાં ભગવાનની છાયાપ્રતિબિંબ ઝિલાઈ શકે. મન મેલું હશે તે પ્રતિબિંબ નહી પડે.
* મહાન પુરુષ શક્તિ પ્રાપ્ત કરે છે તેની સાધના દ્વારા. મનની પવિત્રતામાં ચમત્કાર છે, કોઈ મંત્ર સિદ્ધ નથી. મનની પવિત્રતાથી એમના શબ્દ મંત્ર બને છે.
* મનની વાસનાઓ ખૂબ જ ભયંકર છે. સારી વ્યક્તિઓને પણ તે નચાવે છે. મન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. સર્વ પાપનું મૂળ તૃણું છે. સર્વ પાપ કરનાર મન છે. જે મનને સાથે તે સર્વને સાધે.
* જ્યાં સુધી મન તૃપ્ત નહીં થાય ત્યાં સુધી તે સ્થિર થશે નહીં. તમે મનને જેમ જેમ દબાવશે તેમ તેમ તે ઉપદ્રવ કરશે અને વધુ અસિથર બનશે. તેના કરતાં તેને સમજાવીને ધીમે ધીમે પરમાત્માના ચિંતનમાં જોડવું. આમ કરવાથી મન શાંત થઈ જશે.
* મન જ્યારે શુદ્ધ છે, પવિત્ર છે, પાપના બેજથી મુક્ત છે, ત્યારે બહારનાં ગમે તેટલાં દુઃખ આવી પડે તો પણ આત્મામાં–અંતરમાં તે આનંદ જ હોય છે. પણ જે મન મેલું, અશુદ્ધ હોય તો બહાર ઘણાં સુખ હેવા છતાં અંતર દુઃખની પીડાથી પીડાતું રહે છે.
* ઘણા લોકો ધર્મ પર ભાષણ કરી શકે છે, સુંદર લખી શકે છે, લોકોને સમજાવી શકે છે પણ આચરણ
For Private And Personal Use Only