________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જીવનને અરૂણાદય
કરી શકતાં નથી. તેઓ બુદ્ધિવાદી છે. બુદ્ધિનો વ્યય કરવાનું જાણે છે, પણ હૃદયને પવિત્ર કરવાનું જાણતા નથી.
* બીમાર માણસને ઊઠવાની પણ ઈચ્છા થતી નથી અને ઊભા થવાની તેની શક્તિ ખતમ થઈ જાય છે, તેવી રીતે મનમાં મિથ્યાભાવ આવે છે ત્યારે જીવને પાપ કરવાની ઈચછા થતી નથી, પાપ કરવાની વૃત્તિ જ ખતમ થઈ જાય છે. જ્યારે આવી સ્થિતિ આવે છે ત્યારે તે પ્રામાણિકતા અને ગ્યતા પ્રાપ્ત કરે છે.
* ઘડિયાળને ચાવી આપવામાં ન આવે તો તે બંધ પડી જાય છે. તે રીતે મનને પણ જે વિચારરૂપી ચાવી આપવામાં ન આવે તો તે બંધ પડી જાય છે.
અપરિગ્રહ જ દર્પણ સર્વ વસ્તુને પરિચય કરે છે પણ કોઈનોય સંગ્રહ કરતું નથી, પરિચય કર્યા બાદ તુરત જ નિર્મળ થઈ જાય છે, એવી જ રીતે મનમાં પરિચય સર્વને કરે પણ સંગ્રહ કેાઈનો ન કરવો.
* જે ધનને સંગ્રહ કરતા નથી તે જ જીવનમાં પરમ આનંદ પ્રાપ્ત કરે છે, આત્માના આનંદમાં મસ્ત રહી શકે છે.
જ નદી દાની છે, આથી તે નિર્મળ છે; જ્યારે સાગર પરિગ્રહી છે, સંગ્રહખર છે, કંજૂસ છે; આથી તે ખારે છે.
For Private And Personal Use Only