________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણાદય * મેક્ષના ચાર થાંભલા વગર સમ્યગ્ગદર્શન આવતું નથી. ચાર રસ્તંભ : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ. આ ભાવનાથી આત્માનું ભવભ્રમણ અટકે.
* જીવન ગતિમય છે. તેના પર આત્મારામ બેઠે છે. જ્યાં જીવનની ગાડી બ્રેક વગર ચાલે છે, ત્યાં કદી પૂર્ણતા આવતી નથી. મન કંટ્રોલમાં હોય ત્યારે ગાડી જીવન-લક્ષ્ય સુધી પહોંચી શકે છે.
પ્રામાણિકતા * ન્યાયપૂર્વક પ્રામાણિક જીવન હોવું જોઈએ. વ્યવહાર માટે ધન ઉપાર્જન કરવું તે આલેક અને પરલેકને વિચાર કરીને પ્રામાણિકતાથી કરવું.
* પ્રામાણિકતા જીવનને સુગંધીદાર બનાવે છે, ચારિત્ર્યવાન બનાવે છે. પ્રામાણિકતા જીવનમાં અપૂર્વ આનંદ આપે છે. જે જીવનમાં પ્રામાણિકતા ન હોય તે જીવન નકામું છે. તે જીવનમાં કદી શાતિ મળતી નથી.
* જ્યાં મૈત્રી નિષ્કિય હોય ત્યાં મોક્ષને સ્થાન નથી, જીવનમાં મંત્રી અને ધર્મની વૃદ્ધિ આત્માને પિષણ દે છે.
જીવન * સારી કરણી આત્મસંતોષ માટે જ કરવાની છે. મારું જીવન શુભ હેતુ માટે જ છે. આત્માને કેન્દ્રમાં રાખીને જ જીવનયાત્રા પૂરી કરવાની છે.
For Private And Personal Use Only