________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણુંદ
- ૨૩ છૂટીશું ત્યારે જીવનમાં સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થશે, અદ્દભુત આનંદ આવશે.
* ફળ જ્યાં સુધી કાચાં હશે, ત્યાં સુધી ઝાડ ઉપર રહેશે. જ્યારે તે પાકી જશે ત્યારે સ્વયં નીચે પડશે, તેને પાડવાં નહીં પડે. તેવી રીતે મોક્ષની સાધના પરિપકવ થાય ત્યારે શરીર સંસારથી છૂટી જાય છે ને આત્મા શરીરથી છૂટે થાય છે, પછી સંસાર કે શરીરની ચિંતા રહેતી નથી.
* જ્યાં સુધી ખેતરમાં ઘાસ પડેલું હોય ત્યાં સુધી અનાજ વાવી ન શકાય. તેવી જ રીતે જ્યાં સુધી વિષયરૂપી ઘાસ આત્મા ઉપર હશે ત્યાં સુધી મેક્ષનું બીજ વવાશે નહીં, મોક્ષરૂપી ખેતી નહીં થાય તે, આત્માને પ્રથમ વિષયરૂપી ઘાસથી મુક્ત કરે.
* જેમ કમળને પાણીની ઉપર આવવા માટે કીચડનો સંગ છોડ પડે છે તેમ મોક્ષની ઈચ્છાવાળા માનવે મોહરૂપી કીચડને છેડે જ પડશે ને તે જ મેક્ષ મેળવી શકાશે.
* સગ્ગદર્શન અને જ્ઞાન બે પાટા છે. તેના પર ચાલી જતી ટ્રેઈન મોક્ષ સુધી લઈ જશે. જ્યારે સંસાર પ્રત્યે વિરક્ત બનવાની ભાવના થશે એ દિવસે સફળતા મળશે.
For Private And Personal Use Only