________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર
* સંસાર ગ્રહણ કરવામાં દુરાચાર અને સંસારની કષાયતા પ્રાપ્ત થાય છે. સંસારના ત્યાગમાં સદાચાર અને સંસારને ક્ષય પ્રાપ્ત થાય છે. સંસારનો ક્ષય થવાથી આત્મા સંસારનાં ભયંકર દુઃખોથી મુક્ત બને છે અને પરમ આનંદને ભોક્તા બને છે.
* સંસાર ખારો ઝેર છે. તેને મીઠો બનાવ હોય તે પ્રેમ અને સહિષ્ણુતાને વ્યાપક બનાવો જેથી સંસાર પણ સુખમય લાગશે.
* સંસારના ભાગોમાં મૂછિત થઈ ગયા તો યાદ રાખજે કે તમારી ખૂબ જ ભયંકર દુર્દશા થશે, પછી ખૂબ પસ્તાવો થશે અને ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હશે. મરણ વખતે જ્યારે પસ્તાવો થશે, ત્યારે કાંઈ નહીં કરી શકો. અશક્ત હશે, યમરાજ સામે લેવા આવી જશે, પછી જાગૃત થશે.
* આત્મામાં પડેલાં સાચા આનંદનો અનુભવ થાય તે સંસારને આનંદ સાવ ફિકકો લાગે છે, પરમાત્માની સાથે જે એકવાર મિલન થઈ જાય તે સંસારનાં સર્વ સુખે તુચ્છ લાગે.
* સંસાર છે ત્યાં સુધી સમસ્યા રહેવાની જ છે. પણ સમાધિથી સમસ્યા શમે છે. આરાધનામાં જે સંસારનું ચિંતવન હશે તે તે આરાધના ફળવાની નથી.
For Private And Personal Use Only