________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
જીવનને અરૂણોદય * મનને અનુકૂળ વિષય ખૂબ ગમે છે અને તેને પકડી રાખે છે જ્યારે પ્રતિકૂળ વિષય ગમતું નથી, તેને તે છોડી દે છે. અનાદિ કાળના સંસ્કારને લીધે સંસાર મનને અનુકૂળ લાગે છે. આથી સંસારમાં મન, વિના પ્રયત્ન જતું રહે છે, જ્યારે પ્રયત્ન કરવા છતાંય મન અધ્યામમાં લાગતું નથી.
* માણસ જ્યારે ગર્ભમાં અપાર દુઃખ પામે છે ત્યારે ભગવાનને યાદ કરીને કહે છે, “હે ભગવાન! મને ગર્ભમાંથી બહાર કાઢ. હું ધર્મ કરીશ, સદાચારનું પાલન કરીશ, ભક્તિ કરીશ, ધ્યાન ધરીશ, સવિચારથી જિંદગી વ્યતીત શરીશ. પણ જ્યારે જન્મ થાય છે, સંસારની હવા લાગે છે ત્યારે તે ભગવાનને ભૂલી જય છે.
* અત્યાર સુધી આપણે સરકારના કલેશે જોતાં આવ્યા છીએ. જીવનમાં તે અનુભવ્યા પણ ખરા. પેપરમાં રોજ વાંચીએ છીએ. સંસારનું નાટક પણ જોઈએ છીએ છતાં પણ હજુ સુધી સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યે નથી. તેથી જાણી શકાય છે કે સંસારની વાસનાનો રોગ આત્માની અંદર કેટલે છે!
* સંસારમાં સહુથી ખતરનાક હોય તો તે માણસ છે. પશુઓ બિચારા કોઈ દિવસ પિતાની જાતિને નાશ કરતાં નથી પરંતુ માનવી પહેલાં પોતાની જ જાતિને નાશ કરે છે. બીજાને મારીને જ પિતે સમૃદ્ધ થવા ઈચ્છે છે. આવી ભયંકર પશુતામય વિચારવાળું જીવન આજને માનવી જીવી રહ્યો છે.
For Private And Personal Use Only